SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ૧૨. વિદ્યાપિંડ દોષ ૧૩. મંત્રપિંડ દોષ विजामंतपरूवण विजाए भिक्खुवासओ होइ । મનિ સિરવેય તત્વ મુળ વિદ્યુતો પા૬૮ાા (પિ. નિ. ૪૯૪) જાપ, હોમ, બલી અથવા અક્ષતાદિની પૂજા કરવાથી સાધ્ય થતી અથવા જેના અધિષ્ઠાતા પ્રજ્ઞપ્તિ આદિ સ્ત્રીદેવતા હોય તે વિદ્યા. તે વિષે ભિક્ષુકના ઉપાસક બૌદ્ધના ભગતનું દૃષ્ટાંત. તથા જાપ-હોમાદિ વગર સાધ્ય થતો અથવા જેના અધિષ્ઠાતા પુરુષ-દેવતા હોય તે મંત્ર. તે વિષે માથાના દુખાવાવાળા રાજા મુકુંડનું દૃષ્ટાંત જાણવું. ભિક્ષા મેળવવા માટે વિદ્યા કે મંત્રનો ઉપયોગ કરે તો તે પિંડ વિદ્યાપિંડ કે મંત્રપિંડ કહેવાય. આવો પિંડ સાધુને લેવો કલ્પ નહિ. વિધાપિંડ ઉપર દાંતા ગંધસમૃદ્ધ નામના નગરમાં બૌદ્ધ સાધુનો ભક્ત ધનદેવ રહેતો હતો. તે બૌદ્ધ સાધુઓની ભક્તિ કરતો હતો. તેને ત્યાં જો જૈન સાધુ આવ્યા હોય તો કંઈ પણ આપતો નહિ. એક વખત તરૂણ સાધુઓ પરસ્પર ભેગા થઈને વાતો કરતા હતા, ત્યાં એક સાધુ બોલ્યો કે “આ ધનદેવ સંયત સાધુને કંઈ પણ આપતો નથી. આપણામાં કોઈ એવો છે કે જે ધનદેવ પાસે ઘી, ગોળ આદિ ભિક્ષા અપાવી શકે ?”
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy