SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૭ ૮. માનપિડ દોષ लद्धिपसंस समुत्तइओ परेण उच्छाहिओ अवमओ वा । દિorોfમનાવારી – મારૂ માઈપિંsો તો યાદ્દા (પિ. વિ. ૧૮) પોતાનું લબ્ધિપણું અથવા બીજા પાસે પોતાની પ્રશંસા સાંભળીને ગર્વિત બનેલો, ‘તું જ આ કાર્ય કરવા માટે સમર્થ છે” એમ બીજા સાધુના કહેવાથી ઉત્સાહિત થયેલો અથવા “તારાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી.' એમ બીજાના કહેવાથી અપમાનિત થયેલો સાધુ, અહંકારને વશ થઈ પિંડની ગવેષણા કરે એટલે ગૃહસ્થની આગળ જઈને કહે કે –“બીજા વડે પ્રાર્થના કરાયેલો જે પુરુષ સામાના ઇચ્છિતને પૂર્ણ કરવા પોતે સમર્થ હોવા છતાં આપતો નથી, તે અધમ પુરુષ છે.” વગેરે વચન દ્વારા ગૃહસ્થને ઉત્તેજિત કરીને તેની પાસેથી અશનાદિ મેળવે તે માનપિંડ કહેવાય. દષ્ટાંત ગિરિપુષ્પિત નામના નગરમાં વિજયસિંહસૂરિજી પરિવાર સાથે પધારેલા હતા. તે વખતે તે નગરમાં સેવ કરવાનો ટાઇમ હતો. એક દિવસ કેટલાક તરુણ સાધુઓ ભેગા થયા અને પરસ્પર વાતે ચઢ્યા. ત્યાં એક સાધુ બોલ્યો કે “બોલો આપણામાંથી કોણ સવારમાં જ રાંધેલી સેવ લાવી આપે એમ છે ?' ત્યાં ગુણચંદ્ર નામના એક નાના સાધુએ કહ્યું કે “લાવી આપું.” ત્યારે બીજો સાધુ બોલ્યો કે “જો ઘી-ગોળ સાથે આપણા બધાને સેવ પૂરી ન થાય તો શા કામની ? થોડી લઈને આવે તેમાં શું થાય ? માટે બધાને પૂર્ણ થાય તેટલી લાવે તો ખરો ?' 10.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy