________________
૧૨૩
૬. ચિકિત્સાપિંડ દોષ
भइ य नाहं वेज्जो अहवावि कहेइ अप्पणो किरियं । અન્નવા વિ વિષ્રયાણ તિવિજ્ઞા તિનિચ્છા મુળેવન્દ્રા ।।૬।। (પિં.નિ. ૪૫૬)
કોઈના ઘેર સાધુ ભિક્ષાએ ગયા, ત્યાં ગૃહસ્થ રોગ મટાડવા માટે દવાનું પૂછે, તો સાધુ એમ કહે કે -
o ‘શું હું વૈદ્ય છું ?’ આથી પેલો ગૃહસ્થ સમજે કે ‘આ રોગ મટાડવા માટે વૈદ્ય પાસે જવાનું સૂચવે છે.'
ર અથવા તો કહે કે ‘મને આવો રોગ થયો હતો, ત્યારે આવો આવો ઉપચાર કરેલો એટલે રોગ મટી ગયો હતો.'
૩ અથવા સાધુ પોતે જ રોગની ચિકિત્સા કરે.
આ ત્રણ પ્રકારે ચિકિત્સાદોષ લાગે.
આ રીતે આહારાદિ માટે ચિકિત્સા કરવાથી અનેક પ્રકારના દોષો લાગે છે. જેમકે-ઔષધમાં કંદમૂલ વગેરેનો ઉપયોગ થાય, તેમાં જીવવિરાધના થાય. ઉકાળા-ક્વાથ વગેરે કરવાથી અસંયમ થાય.
ગૃહસ્થ સારો થયા પછી તપેલા લોઢાની જેમ જે કોઈ પાપવ્યવહાર જીવવધ કરે તેનો સાધુ નિમિત્ત બને.
સારો થઈ જવાથી સાધુને સારો સારો આહાર બનાવીને આપે તેમાં આધાકર્માદિ અનેક દોષો લાગે.