SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ૪. આજીવિકાપિંડ દોષ जाई कुल गण कम्मे सिप्पे आजीवणा उ पंचविहा । સૂયાણ અસૂયા! વ ગપ્પાળ દેહિ ને ।।૬।। (પિં. નિ. ૪૩૭) આજીવિકા પાચ પ્રકારે થાય છે. ૧ જાતિસંબંધી, ૨ કુલસંબંધી, ૩ ગણસંબંધી, ૪ કર્મસંબંધી, ૫ શીલ્પસંબંધી. આ પાંચે પ્રકારમાં સાધુ એવા પ્રકારે બોલે કે જેથી ગૃહસ્થ સમજે કે ‘આ અમારી જાતિ આદિનો છે અથવા તો સ્પષ્ટ ભાષામાં કહે કે ‘હું બ્રાહ્મણ આદિ છું.’ આ રીતે પોતાને તેવા ઓળખાવવાપૂર્વક ભિક્ષા લેવી, તે આજીવિકા દોષવાળી કહેવાય છે. ? જાતિ-બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ અથવા માતૃપક્ષની-માતાનાં સગાંવહાલાં જાતિ કહેવાય. ર કુલ-ઉગ્રકુલ, રાજન્યકુલ, ભોગકુલ આદિ અથવા પિતાપક્ષનું-પિતાનાં સગાંવહાલાં સંબંધી કુલ કહેવાય. ૩ ગણ-મલ્લ આદિનો સમૂહ. ૪ કર્મ-ખેતી આદિનું કાર્ય અથવા અપ્રીતિને ઉત્પન્ન કરનાર. ૫ શિલ્પ-તૂણવું, સીવવું, વણવું વગેરે અથવા પ્રીતિને ઉત્પન્ન કરનાર. કોઈ એમ કહે છે કે ‘ગુરુ વિના ઉપદેશ કરાયું-શીખેલું હોય તે કર્મ અને ગુરુએ ઉપદેશેલું-કહેલું-બતાવેલું-શીખવેલું તે શિલ્પ.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy