SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ ૧૬. અધ્યવપૂરક દોષ પ્રથમ પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય, પછી સાધુ આવેલા જાણી તે રસોઈમાં બીજું ઉમેરવામાં આવે તે અધ્યવપૂરક દોષવાળું કહેવાય. अज्झोयरओ तिविहो जावंतिय सघरमीसपासंडे । મૂમિ ય પુત્વરે ઓવરડ્ તિરૂં અટ્ઠા ।।૪૭।। (પિં. નિ. ૩૮૮) પ્રથમ પોતાને માટે રાંધવા આદિની શરૂઆત કરી હોય પછી પાછળથી ત્રણે પ્રકારમાંથી કોઈના માટે ચોખા આદિનો ઉમેરો કરે તો તે તે આહારાદિ અધ્યવપૂરક દોષવાળું થાય છે. અધ્યવપૂરકના ત્રણ પ્રકારો છે. ૧ સ્વગૃહ યાવદર્થિકમિશ્ર, ૨ સ્વગૃહ સાધુમિશ્ર, ૩ સ્વગૃહ પાખંડીમિશ્ર. ૯. સ્વગૃહ યાવદર્થિકમિશ્ન-સ્વગૃહ એટલે પોતાના ઘર માટે અને યાવદર્થિક એટલે કોઈ પણ ભિક્ષુઓ માટે. પ્રથમ પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય અને પછી ગામમાં અનેક યાચકો, સાધુઓ, પાખંડીઓ વગેરે આવ્યાની ખબર પડતાં, પૂર્વની શરૂઆત કરેલી રસોઈમાં જ પાણી, ચોખા વગેરે ઉમેરીને સર્વને માટે બનાવેલ ભોજન. ૨. સ્વગૃહ સાધુમિશ્ર-પ્રથમ પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય અને પછી સાધુઓ આવ્યાની ખબર પડતાં, રસોઈમાં પાણી, ચોખા આદિ સામગ્રી ઉમેરીને પોતાના માટે અને સાધુ માટે રસોઈ તૈયાર કરવામાં આવે. ૩. સ્વગૃહ પાખંડીમિશ્ર-પ્રથમ પોતાના માટે રસોઈ બનાવવાની શરૂઆત કરી
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy