SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ આચ્છેદ્ય દોષ ૯૫ મુનિના મધુર વચન સાંભળતા ગોવાળિયાનો ગુસ્સો શાંત થઈ ગયો. ગોવાળિયાએ મુનિને કહ્યું કે “હે સાધુ ! હું તમને મારવા માટે આવ્યો હતો, પરંતુ તમારા વચનરૂપી અમૃતનું સિંચન થવાથી મારો ગુસ્સો શાંત થઈ ગયો છે, માટે ખુશીથી આ દૂધ તમે વાપરજો, પરંતુ બીજી વાર આવી રીતે કોઈની ઇચ્છાવિરુદ્ધ કોઈ વસ્તુ લેશો નહિ.” આમ કહીને ગોવાળિયો પોતાના સ્થાને પાછો ગયો. સાધુ પોતાની વસતિમાં ગયા. આચ્છધ ભિક્ષા લેવામાં થતા અનર્થો માલિક બલાત્કારે પોતાના આશ્રિત આદિ પાસેથી વસ્તુ લઈને સાધુને આપે તો વસ્તુનો માલિક નીચે પ્રમાણે વર્તાવ કરે. 2 માલિક પ્રત્યે રોષાયમાન થાય અને જેમતેમ બોલવા લાગે અથવા સાધુ પ્રત્યે રોષાયમાન થાય. ૨ માલિકને કહે કે “આ વસ્તુ દૂધ વગેરે મારા હક્કનું છે, શા માટે બલાત્કારે લઈ લો છો ? મેં મહેનત કરીને બદલામાં આ દૂધ મેળવેલું છે. મહેનત કર્યા વિના તમે કંઈ આપતા નથી. તો તમે શા માટે દૂધ છીનવી લો છો ? ઓછા દૂધમાં અમારું પોષણ શી રીતે થાય. માટે આ દૂધ લેવા નહિ દઉં વગેરે બોલે.” આથી પરસ્પર ઝગડો થાય. દ્વેષ વધે, ગોવાળિયા આદિ શેઠ આદિને ત્યાં ધન આદિની ચોરી કરે. શેઠ આદિને કદાચ મારીયે નાખે વગેરે સાધુ નિમિત્તે દોષો થાય. ૩ મુનિ પ્રત્યે દ્વેષ રાખે, મુનિને તાડન કરે કે મારી નાખે. ૪ વસ્તુના માલિકને અપ્રીતિ થાય. પ તે વસ્તુ નહિ મળવાથી તેને અંતરાય થાય, તેથી સાધુને તેનો દોષ લાગે. ઉપરાંત અદત્તાદાનનો દોષ પણ લાગે, તેથી મહાવ્રતનું ખંડન થાય. ૬ બીજા કોઈ વખતે સાધુને જોતા તેને એમ થાય કે “આવા વેષવાળાએ બલાત્કારે મારી વસ્તુ લીધી હતી, માટે આવાને આપવું ન જોઈએ.” આથી ભિક્ષાનો વિચ્છેદ થાય. ૭ ઊતરવા માટે સ્થાન આપેલું હોય તો તે રોષમાં આવવાથી સાધુને ત્યાંથી
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy