________________
૯૩
૧૪. આચ્છેદ્ય દોષ બીજા પાસેથી બલાત્કારે જે અશનાદિ ઝૂંટવીને સાધુને આપવામાં આવે તે આચ્છેદ્યદોષ કહેવાય.
अच्छिMपि य तिविहं पभू य सामी य तेणए चेव ।
ચ્છિi પહિન્દુ સમUT US ઘેનું ૪થા (પિં. નિ. ૩૬૯) - આચ્છેદ્ય ત્રણ પ્રકારે છે. પ્રભુ ઘરનો નાયક, સ્વામી-રાજા કે ગામનો મુખી, નાયક અને સ્તન-ચોર. આ ત્રણે, બીજા પાસેથી બલાત્કારે ઝૂંટવીને આહાર આદિ આપે તો તેવા અશનાદિ સાધુને લેવા કહ્યું નહિ.
૨. પ્રભુ આચ્છેદ્ય-મુનિનો ભક્ત ઘરનો નાયક આદિ પોતાના પુત્ર, પુત્રી, પત્ની, પુત્રવધૂ આદિ પાસેથી અશનાદિ ઝૂંટવીને તેમની ઇચ્છાવિરુદ્ધ સાધુને આપે તે.
૨. સ્વામી આચ્છેદ્ય-મુનિનો ભક્ત ગામનો માલિક આદિ પોતાના આશ્રિતની માલિકીના અશનાદિ ઝૂંટવીને તેમની ઇચ્છાવિરુદ્ધ સાધુને આપે તે.
૩. સ્ટેન આચ્છેદ્ય-સાધુનો ભક્ત કે લાગણીવાળો કોઈ ચોર મુસાફરો પાસેથી તેમની ઇચ્છાવિરુદ્ધ અશનાદિ ઝૂંટવીને સાધુને આપે છે.
આવો આહારાદિ ગ્રહણ કરવાથી તે વસ્તુનો માલિક સાધુ ઉપર દ્વેષ રાખે અને તેથી તાડન મારણ આદિનો પ્રસંગ આવે. માટે આચ્છઘદોષવાળી ભિક્ષા સાધુએ લેવી ન જોઈએ.