SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ છે, વળતાં આપશ્રીને વંદન કરવા આવી. આપશ્રીને કંઈ ઉપયોગમાં આવે તો ગ્રહણ કરો.” અથવા તો કોઈ એમ કહે કે “મારા સંબંધીને ત્યાં આ લહાણી આપવા ગઈ હતી, પણ તેમણે રાખ્યું નહિ, એટલે પાછા ફરતાં આપશ્રીને વંદન કરવા આવી છું. આપને ઉપયોગમાં આવે તો મને લાભ આપો.' અથવા તો ઉપાશ્રયમાં પ્રવેશ કરતા પહેલાં પૂર્વ સંકેત કરી રાખ્યા મુજબ સાધુઓ સાંભળે તેમ નજીકના ઘેર જઈને કહે કે “લો આ લાપસી લહાણી આપવા આવી છું.” ત્યારે પેલી સ્ત્રી કહે કે “હું તારી વસ્તુ લેવાની નથી, અમુક દિવસે તેં મારી લહાણી કેમ લીધી ન હતી ? આ સાંભળી પહેલી સ્ત્રી જરા ઊંચે સ્વરે લેવા માટે કહે, ત્યારે બીજી સ્ત્રી ના પાડે. આમ પરસ્પર દેખાવ ખાતર કલહ કરે. પછી પહેલી સ્ત્રી રોષમાં હોય તેવો દેખાવ કરી ઉપાશ્રયમાં આવે. સાધુઓને વંદન કરીને બાજુવાળી સ્ત્રીએ લહાણી લીધી નહિ, વગેરે કહી સંભળાવી, વહોરવા માટે વિનંતિ કરે. આવા પ્રસંગે સાધુ તે વાત સાચી માની લે અને આહાર નિર્દોષ જાણીને ગ્રહણ કરે. જો પાછળથી અભ્યાહતની ખબર પડે તો આહાર વાપર્યો ન હોય તો પરઠવી દે. વાપરી ગયા હોય તો કાંઈ દોષ નથી. જાણ્યા પછી વાપરે તો દોષના ભાગીદાર થાય. આચીર્ણ અભ્યાહતા आइन्नं तुक्कोसं इत्थसयंतो घरेउ तिन्नि तहिं । ત્ય મિરાણી વીરોનું પરૂ વસો ઇશા (પિ. વિ. ૪૭) ગીતાર્થ સાધુ ભગવંતોએ જે લેવાનું આચરણ કર્યું હોય તે આચીર્ણ કહેવાય. આશીર્ણ બે પ્રકારે. ૨. ક્ષેત્રની અપેક્ષાએ અને ૨. ઘરની અપેક્ષાએ. ૨. ક્ષેત્ર અપેક્ષાએ ત્રણ ભેદ. ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. ક્ષેત્રથી ઉત્કૃષ્ટ સો હાથ સુધીનું. ક્ષેત્રથી જઘન્ય, બેઠા બેઠા કે ઊભા હાથથી ઊંચું રહેલું વાસણ લઈને, ઉચું કરીને કે આવુંપાછુ કરીને આપે તે. બાકીનું મધ્યમ. આમાં સાધુનો ઉપયોગ રહી શકતો હોય તો કલ્પ.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy