SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ છે અર્થાત્ એવી સમાચારી, કે જેના પ્રવર્તક ગીતાર્થ હોયઅશઠ હોય, અને જે સમાચારી અસાવદ્ય-નિષ્પાપ હોય, તેમજ જેને કેઈએ નિષેધ કર્યો ન હોય, અને જે બહુમત હોય, એવી સમાચારીઓ–પદ્ધતિઓ કંઈ સાધ્ય નથી હોતી પણ સાધન છે, અને સાધના માટે વિરોધ કરે એ તો અજ્ઞાનતા જ કહેવાય. કમ પ્રકૃતિ આ ઉદ્દેશકમાં મુખ્ય વિષય કમ પ્રકૃતિ સંબંધી છે. અર્થાત્ કર્મ પ્રકૃતિ કેટલી? મેહનીયકર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય, ત્યારે જીવ પરલોકગમન કરે કે કેમ? કરે તે શાથી? આવી જ રીતે પુગલની ભૂત–વર્તમાન અને ભવિષ્ય કાળની વિદ્યમાનતા સંબંધી તેમજ છદ્મસ્થ મનુષ્ય સિદ્ધબુદ્ધ થાય કે કેમ? તે સંબંધી વર્ણન છે. તેને સાર આ છે. કર્મ પ્રકૃતિએ આઠ છેજેનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાં છે. ૩ મેહનીય કર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય, ત્યારે જીવ ક ૧૨. આ પ્રશ્નોત્તરમાં નિર્ગસ્થ શબ્દની સાથે શ્રમણ શબ્દ હેવાના કારણે શ્રમણને અર્થ જૈન સાધુ જ લેવાને છે. ત્યાગ અને વૈરાગ્યથી દીક્ષિત થયેલ સાધુ પણ ગુરુકુળ વાસ અને સ્વાધ્યાય–બળ પ્રત્યે જે બેદરકાર રહેશે તો તેમને પણ શંકાઓ ઉત્પન્ન થશે અને કમશ: વધશે. અને વધતી શંકાએ સાધકને પુનઃ મિથ્યાત્વ મોહનીય પ્રત્યે ઘસડી જશે. ક ૧૩. કર્મો કેટલા પ્રકારનાં છે? તે શાથી બંધાય? ક્યા કારણે કર્મો બંધાય? તેની કેટલી પ્રકૃતિએ વેદાય?
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy