SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ ૨. અંડજ–એટલે માતા પિતાના રજવીર્યથી નખની ચામડીની જેમ કઠીન બનેલાને અંડ (ઈડું) કહેવાય છે. તે ફૂટયા પછી તેમાંથી જે જન્મે છે તે અંડજ હોય છે. સર્પ, ઘે, કાછેડે, ગલી, માછલી, કાચ, મગર, આદિ જી તથા ચર્મ પાંખવાલા પંખીઓમાં હંસ, પોપટ, કાગડે ગીધ, બાજ, કબૂતર, મોર, ટીટોડી, બગલા, બતક આદિ જી અંડજ હોય છે. ૩. પોતજ-એટલે શરીરની રચના પૂર્ણ થયા પછી જીને ચાલવા ફરવાની શકિત પ્રાપ્ત થાય છે. તે પોતજ કહેવાય છે. જેમાં–હાથી, સસલું, નેળિયે, ઉંદર તથા ચમ પક્ષવાલા વગુલી ભાખંડ આદિ ને સમાવેશ થાય છે. સંમૂચ્છિમ-એટલે જેમાં પૃથ્વીકાય, અપકાય, અગ્નિ કાય, વાયુકાય, વનસ્પતિકાય અને વિકલેન્દ્રિય એટલે (બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય) આ ચારે ઈન્દ્રિય સુધીના બધાએ જીવ સંમૂચ્છિમ જ હોય છે. જ્યારે મનુષ્યના શરીરમાંથી બહાર આવતા મલ, મૂત્રાદિકમાં જે જ ઉત્પન્ન થાય છે તે સંમુર્છાિમ પંચે ન્દ્રિય હોય છે તેના પણ ૧૪ સ્થાન છે. ૧ વિષ્ટામાં, ૨ મૂત્રમાં, ૩ કફમાં, ૪ શ્લેષ્મમાં, ૫ વમનમાં, ૬ પિત્તમાં, ૭ લોહીમાં, ૮ શુકમાં, ૯ મૃત કલે વરમા; ૧૦ પરૂમાં, ૧૧ સ્ત્રી-પુરુષના સંયોગમાં, ૧૨ વીર્યસ્ત્રાવમાં, ૧૩ શહેરની મેરીમાં, ૧૪ સર્વત્ર અપવિત્ર સ્થળમાં. આ ઉપરના સ્થાનમાં સંમૂર્છાિમ પંચેન્દ્રિય છે. જન્મે છે. આ પદાર્થો જેના શરીરસત્ક હશે? પ્રાયે જીવ-હત્યા પણ તેને લાગશે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy