SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ - અહીં કૃષ્ણલેશ્યા નીલેશ્યાના પરિણામને પામે છે. નીલેશ્યા કાપતલેશ્યાના સંપર્કથી કાપતલેશ્યા બને છે. કાપેતલેશ્યા તેલશ્યામાં અને તે જેલેફ્સા પદ્મશ્યામાં તથા પલેશ્યા શુકલલેશ્યામાં પરિણમે છે. જેમ તે તે રૂપ (રંગ)ને ધારણ કરનારા દ્રવ્યના સંપકથી વૈડૂર્યમણીમાં પણ રંગને ફેરફાર થાય છે. અહીં રંગમાં ફેરફાર થયે છતે પણ વૈડૂર્યમણે પોતાના સ્વભાવને છેડત નથી. તે જ પ્રમાણે કૃષ્ણલેશ્યાના એગ્ય દ્રવ્ય પણ પિતાના મૂળ સ્વભાવને છેડયા વિના જ નીલાદિ દ્રવ્યોના સંપર્ક માત્રથી આ વેશ્યાના આકારાદિને પામે છે. આ વાત દેવ અને નારકેને માટે સમજવાની છે. કેમકે તેમને ભવના અંત સુધી રહેનારી લેશ્યાઓ દ્રવ્યાન્તરનાં સંપર્કથી જુદા આકારને ભલે પામે તે પણ સર્વથી પિતાનાં સ્વરૂપને ત્યાગ કરતી નથી. ત્યારે જ કહેવાય છે કે દેવ અને નારકેને દ્રવ્ય લેફ્સા અવસ્થિત છે. જયારે ભાવના પરિવર્તનથી તેમને પણ છ એ વેશ્યાઓની સંભાવના બની શકે છે તેથી જ તે નારક જીવ પણ તેજે લેશ્યરૂપ દ્રવ્ય સંબંધીથી તેજે લેફ્સામાં જ્યારે પરિણત થાય છે ત્યારે સમ્યકત્વને પામી શકે છે, અને તેને લેશ્યાની સંભાવનાવાળા વૈમાનિક સંગમ દેવને કૃષ્ણલેશ્યાના પરિણામ થતાં પતિત પાવન ભગવાન મહાવીર સ્વામીને જીવલેણ ઉપસર્ગો કરવાની વૃત્તિ જન્મે છે. જ્યારે મનુષ્યની અને તિયાની લેશ્યા સર્જાશે પરિવર્તન પામે છે માટે જ તેમની વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તમૌતિક હોય છે પ્રસન્નચન્દ્ર રાજર્ષિને કૃષ્ણલેશ્યા આવતાં એ વાર લાગી નથી અને શુકલલેશ્યા આવતાં પણ વાર લાગી નથી, માટે મનુષ્યની વેશ્યા પ્રતિક્ષણે નિમિત્તના વશ બદલાતી રહે છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy