SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩ જું ઉદ્દેશક-૪] [૩૧૭ અનાદિકાળથી આ જીવાત્મા કર્મોના ભારથી ભારે બને છે. આનો અર્થ આ છે કે અનાદિકાળના તેના તેજ કર્મો જીવાત્માને હોતા નથી. કેમકે બાંધેલા કર્મો પિતાની મર્યાદા પૂરી થયા પછી ઉદયમાં આવે છે અને પિતાનું શુભાશુભ ફળ બતલાવીને આત્મ પ્રદેશથી છૂટા થાય છે અને અજ્ઞાન અવસ્થા હોવાના કારણે ફરી નવા નવા કર્મો બંધાતા જાય છે આમ જુના કર્મો ખરતાં જાય છે અને પ્રવાહરૂપે નવા કર્મો આવતા જાય છે. માટેજ આમ કહેવાય છે કે આત્મા અનાદિકાળથી કર્મોના ભારે ભારી બને છે. જૈન શાસનની અજોડતા ભવપરંપરામાં અનંત દુઃખને દેનારા આ કર્મોના ભારને હલકો કરવા માટે બીજા શાસને (ધર્મો) કરતાં જૈનશાસન (જૈનધર્મ) વધારે ઉપયુક્ત છે. યદ્યપિ બીજા ધર્મોમાં ધ્યાન, ધારણા, જાપ, ઈશ્વર–પ્રણિધાન આદિ સદુનુષ્ઠાનેનું વર્ણન છે. તથાપિ પ્રાથમિક ભૂમિકાનું સ્પષ્ટીકરણ ત્યાં જોવામાં આવતું નથી. જ્યારે જૈનશાસનમાં લક્ષ્ય સિદ્ધ કરવા માટે પ્રાથમિક ભૂમિકાને પાયે એટલે બધે પાકે છે કે જેને લઈને માણસ માત્ર આત્મકલ્યાણના પંથે આગળને આગળ વધી શકે છે. જેના માટે બે પ્રક્રિયાની જ આવશ્યકતા છે. પહેલી પ્રક્રિયામાં નવા પાપોના દ્વાર બંધ કરવા અને બીજી પ્રક્રિયામાં જના પાપને સર્વથા સમૂળ નાશ કરવા આ પ્રમાણેની આ બંને પ્રક્રિયા. “પ્રતિકમણી ક્રિયામાં જ સમાઈ જાય છે. માટે જ તત્ત્વાર્થસૂત્રામાં તીર્થકર ગોત્રને બાંધવાની ચર્ચા કરતા ઉમાસ્વાતિ બ ાબ...” કહ્યું છે. અર્થાત્ આવશ્યક-પ્રતિક્રમણ સ્તરને જ ગુણઠાણા
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy