________________
(૨૮)
જે કીંમતી ગણી, ધનવાન અને શ્રદ્ધાળુ જૈન વર્ગ સેનાનાણું કે ચાંદી નાણું મૂકે છે. ભગવતી સૂત્ર બહુ મેટું છે. શ્રી ભગવતી સૂત્રને હાલ એકતાલીસ વિભાગ છે. આ દરેક વિભાગને શતક કહેવાય છે અને તેના પેટા વિભાગને ઉદ્દેશક કહેવાય છે. આ અંગમાં એક કરતાં વધારે અધ્યયને, દશ હજાર ઉદ્દેશકે, છત્રીસ હજાર વ્યાકરણીય પ્રશ્નો અને બે લાખ અઠયાસી હજાર પદો હતાં. વીર સંવત ૯૮૦ કે ૯૩માં શ્રી દેવદ્વિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખ પદે, આગમને લિપિબદ્ધ કરવાનું મહાભગીરથ કાર્ય કરવા આવ્યું હતું, તે વખતે વિવિધ આગની જે સંકલન કરાઈ, તેને અનુરૂપ વર્તમાન ભગવતીસૂત્ર છે. એટલે વર્તમાન ઉદ્દેશકે તથા પદોની સંખ્યા પહેલાંની માફક જેવામાં આવતા નથી.
દરેક ધર્મગ્રંથોના મુખ્ય બે વિભાગે પડી શકે છે. એક વિભાગ ઉપદેશ ગ્રંથને અને બીજો વિભાગ સિદ્ધાંત ગ્રંથને. ઉપદેશ ગ્રંથમાં સામાન્ય રીતે માણસને વૈરાગ્યાદિ ભાવ ઊપજે તે રીતે બાબતે ચર્ચવામાં આવે છે, જેથી કઈ પણ વાંચે તે સહેલાઈથી તે સમજી શકે છે. આપણા આગમ ગ્રંથમાં ઉત્તરાધ્યયન સૂત્ર આવા ઉપદેશથી ભરેલું છે. જ્ઞાનના સાગર રૂપી ભગવતી સૂત્રમાં જે કે ગણિતાનુગની પ્રધાનતા છે, છતાં પણ તેમાં દ્રવ્યાનુયેગ, ચરિતાનુગ અને કથાનુચોગના પાઠ ભક્તિને પણ પૂર્ણ માત્રામાં જોવા મળે છે. આ રીતે, ભગવતીસૂત્રમાં ઉપદેશ અને સિદ્ધાંતને સુભગ સંગ છે, જે આ સૂત્રની વિશેષ વિશિષ્ઠતા છે.
અસંવૃત્ત–સંવૃત્ત અણગાર (પા. ૨૪)ની વાત બહુ સમજવા જેવી છે. અનાદિ કાળથી રઝળતા આપણા જીવનને અનંતા ભવો થયા છતાં–અંત કેમ નથી આવત? રઝળપાટ