SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩ નું ઉદ્દેશક-૪] [ ૩૦૩ સંસારવતી આત્માઓના બે વિભાગ છે. - પહેલા વિભાગમાં સુખની સામગ્રી પ્રાપ્ત કરેલા અને તેને ભેગવનારા હોય છે. બીજ વિભાગમાં સુખસામગ્રીને સર્વથા અભાવ હોય છે. એટલે સુખ નામની ચીજને જાણતા પણ નથી. - સદ્દગુરૂ સેવનથી આપણા હૈયામાં યદિ સમ્યકત્વને વાસ હશે તે તેનાથી મળેલી સમ્યક્ બુદ્ધિ અને વિવેક દ્વારા ઘણા જ શુભ કર્મો બાંધવાને અવસર આવશે. અને હૈયાના મંદિરમાં મિથ્યાત્વને વાસ હશે તે મિથ્થાબુદ્ધિ-અસદુવિવેકના માધ્યમથી ભયંકરમાં ભયંકર પાપસ્થાનકેને સેવતે આ જીવ દુઃખ મેળવશે અને દુઃખના સાધનો જ મેળવનાર થશે અને તેવા સ્થાનમાં જ જન્મ લેશે. જ્યાં ખાવામાં પીવામાં રહેવામાં સંબંધમાં કયાંય પણ સુખ મેળવી શકે નહીં. સ્ત્રી વેદનું કારણ સમજદાર આત્મા જ્યારે ભાનમાં આવે છે અને સ્વકત. વ્યને જાણે છે ત્યારે પોતાની પ્રચંડ શક્તિને ઉપયોગ કરીને ધાર્મિક જીવનમાં પોતાનું મન લગાડશે. ત્યારે મિથ્યાત્વ ગુણ સ્થાનકમાંથી બહાર આવીને સદ્બુદ્ધિ-સવિવેક જ્ઞાન, વૈરાગ્ય, સ્વાધ્યાય, તપશ્ચર્યા રૂપી શસ્ત્રોને હાથમાં લઈને સમ્યકત્વસમ્યગદર્શન નામનું ગુણઠાણું મેળવશે ત્યારે મિથ્યાત્વનો. નાશ અથવા ઉપશમ થઈ ગયેલૈં હોવાથી ઉપર બતાવેલ અશુભ સ્થાને, અનાર્યકુ, ખાનદાને, માત પિતાએ અથવા પિતાના શરીરની ખેડખાપણે મેળવવા માટેની ચેગ્યતા નષ્ટ થશે. આને સરળાર્થ એ થયો કે, સમ્યકત્વ પ્રાપ્ત
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy