________________
૨૮૨]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ છેવટે લવણસમુદ્રમાં ચૌદશ, આઠમ, અમાવાસ્યા ને પૂનમ-એ દિવસેએ ભરતી-ઓટ કેમ થાય છે, તે સંબંધી જીવાભિગમ સૂત્રોમાંથી જાણું લેવાનું જણાવ્યું છે." છે. માટે મેક્ષ મેળવવા માટે જ હું જ્યારે મારા ભાવથી દીક્ષા સ્વીકારું છું. તે ગમે તેવા ઉપસર્ગો આવે પરિષહ આવે તથા ગુરૂદ્વારા સારણા-વારણ-ચોયણ–પડિયણ થાય તએ મારે ગુરૂકુલવાસ છેડ નથી. તેમજ મારે સ્વાધ્યાય પણ છોડે નથી. તપ કર્મ પણ છોડવું નથી. અને મારા પોતાના સંપૂર્ણ સ્વાર્થને છોડીને ગુરૂદેવના સ્વાર્થમાંજ મારે સમર્પણ ભાવ કરીશ તે આ મુનિ આગળ વધી શકશે અને અન્તર્મુહૂર્તની મર્યાદાવાલુ સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત કરવા સમર્થ બનશે. આમ છઠ્ઠા અને સાતમા ગુણ
સ્થાનકમાં રમણ કરતો સાધક સાધન મત્યે આગળ વધીને ૮–૯–૧૦–૧૧–૧૨મું ગુણસ્થાનક મેળવવા માટે ભાગ્યશાલી બનશે. આ પ્રશ્નોત્તરમાં તે કેવળ પ્રમત્ત સંયમ અને અપ્રમત્ત. સંયમને સમય જ બતાવવામાં આવે છે, જે સ્પષ્ટ છે.
૪૫. લવણ સમુદ્રમાં પ્રતિદિન બે ટાઈમ ભરતી આવે છે. ત્યારે સમુદ્રની જલ સપાટી ઘણી જ વધી જાય છે અને સમય વીત્યા પછી પોતાની મેળે જ આવેલી ભરતીમા પાછી ઓટ આવે છે અને સમુદ્ર પૂર્વવત્ થઈ જાય છે. આ અનુભવ સૌ કોઈને એક સરખા જ છે. પણ આ ભરતી શા કારણે આવે છે? તેને જવાબ ભગવાન મહાવીર સ્વામી આપે છે કે જેમના મેહકર્મ નાશ પામ્યા નથી તે ચર્મચક્ષુના માલિકો જુદી જુદી કલ્પના ભલે કરતા હોય પણ કેવળજ્ઞાનના માલિકે