SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૩ નું ઉદ્દેશક-૩] | [ર૬પ સાગરોપમ અને ૭૦ કડાકડી સાગરોપમ જાણવા. ૧૦ કેડીકેડી સાગરોપમની એક ઉત્સર્પિણી અને ૧૦ કેડા કેડી સાગરેપમની એક અવસર્પિણી થાય છે. આ બન્ને કાળમાં એક એક ચોવીસી તીર્થકર દેવાની થાય છે. આજે મિથ્યાત્વને લઈને ઉપાર્જન કરેલું જ્ઞાનાવરણીય કમ ત્રણ ચોવીસી સુધી સંસારમાં પરિભ્રમણ કરાવશે. અને અત્યન્ત કષાયાધીન બનીને ઉપાજેલું મેહનીયકર્મ સાત ચોવીસી સુધી આપણું આત્મકલ્યાણ સાધવા નહીં દે. આ પ્રમાણે સંસારમાં કર્મવશ બનીને અનંત પુદ્ગલ પરાવર્તન આપણે પૂરા કર્યા છે. અબાધા કાળ દરમ્યાન એટલે કે ઉત્કૃષ્ટ પ્રકારે ૭૦ કિડાકેડી સાગરોપમનું મેહનીય કર્મ બાંધ્યું હોય તો ૭૦૦૦ હજાર વર્ષ પહેલા કર્મ કંઈ પણ હાનિ કરી શકે તેમ નથી. આ કાળ પૂરો થયે છતે જ મેહનીયકર્મ ઉદયમાં આવશે. સરળાર્થ આ છે કે સાત હજાર વર્ષ વીત્યા પછી ૭૦ કેડીકેડી સાગરેપમના કાળ સુધીમાં ગમે ત્યારે પણ આ કમ ઉદયમાં આવી શકશે. સમુદ્ર જેમ અગાધ અને અનંત છે. તેમ સંસાર પણ અગાધ અને અનંત છે. આજે જે જીવાત્મા સાથે કષાયની ભયંકર પરવશતાને લઈને અત્યુત્કટ–વિરાનુબન્ધ પડશે, જે જીવ આપણું હાથે મર્યો, જેની સાથે રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ બંધાણી, અથવા મૃષાવાદ અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ વધારવા માટે જે જીવો સાથે આપણે કર્મની ગાંઠમાં બંધાણ છીએ. તે તે જીવને જે ભવમાં આપણે અને તેનો સંગમ થશે ત્યારે તેનું ફળ ભેગવવું પડશે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy