SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ આબાળગપાળ પ્રસિદ્ધ છે. “જેવી કરશું તેવી ભરણું” હાથના કીધા હૈયે વાગ્યા જાકી જૈસી કરણી વે ત ફળ ચાખા” “કર્મણહિ પ્રધાનવં..”તમૈનમઃ કર્મણે ક્ષીણે પુણ્ય પ્રત્યેક વિશક્તિ” “યાવત્ પુણ્યમિદ સદા વિજ ચતે પુણ્યક્ષશીયતે” આના જેવી હજારો-લાખ ઉક્તિઓમાં એક જ વાતને રણકાર છે કે પહેલાં કર્મ (કિયા) કરાય છે અને પછી ફળ ભેગવાય છે. છતાં પણ છઠ્ઠા ગણધર મંડિત પુત્ર, દેવાધિદેવ ભગવાનને પૂછે છે કે હે પ્રભે ! કર્મ પહેલા હોય છે? કે વેદના પહેલી હોય છે? આ પ્રશ્નનનાં મૂળમાં કર્યો આશય હશે? તે તપાસીએ તે પહેલા એક વાતને જાણી લઈએ કે ગણધર ભગવંત ચાર જ્ઞાનના માલિકે હોય છે છતાં સમવસરણમાં બેઠેલા બીજા ભાગ્યવંતેને જ્ઞાન ઉપાર્જન કરાવવાના આશયથી પણ પૂછે છે. ઘણીવાર જીવવિશેષને કર્મો જુદા અને ફળાદેશ જુદો જણાય છે. જેમકે :- એક જન કસાઈ કર્મને કરનાર છે છએ તેની પાસે બંગલે, મેટર, ટેલીફેન, ટેલીવિજન, સ્ત્રી, પુત્રપરિવાર છે અને પુત્ર-પુત્રિઓના લગ્નમાં હજારે રૂપીઆ ખર્ચે છે. ગણિકાની બેટી આજીવન ગણિકા કૃત્ય કરે છે. અને માલ-મસાલા સાથે નાગરવેલના પાન ચાવ્યા કરે છે. અને વૈભવપૂર્ણ જીવન પસાર કરે છે. જ્યારે એક ગૃહસ્થ ધર્મધ્યાન કરે છે અને દરિદ્ર છે. ત્રણ સાંધે ત્યાં તેર તૂટે છે. આવી વિકટ પરિસ્થિતિમાંથી તેને ગૃહસ્થાશ્રમ પસાર થાય છે. આ ત્રીજા માળે અમન–ચમન પૂર્ણ જીવનની મોજ માણે છે. છતાંએ તે પુણ્યકમીને સર્પ દંશ દે છે અને મરી જાય છે સતીત્વધર્મની ચરમસીમાને પાલન કરનારી સીતા-દમયંતી તથા દ્રૌપદી આદિને વનવાસ ભેગવવા પડ્યાં છે અને તેમને ઘણે લાંબો સમય લેતા રોતા પૂરે થયો છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy