SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩નું ઉદ્દેશક-૩]. [૨૪૩ તે પ્રાણાતિપાત. પ્રાણાતિપાતને લગતી જે ક્રિયા અથવા પ્રાણાતિપાતરૂપ જે ક્રિયા તે પ્રાણાતિપાતિકી ક્રિયા. (પ્રાણ દશ કહ્યા છે. ૫ ઈન્દ્રિય, ૩ બળ, (શરીર-મન વચનરૂપ) ૧ શ્વાસોચ્છવાસ અને ૧ આયુષ્ય). અનુપરત–ત્યાગવૃત્તિ વિનાના પ્રાણીની જે શરીર ક્રિયાતે અનુપરતકાયિકી ક્રિયા. દુપ્રયુક્ત-દુષ્ટ રીતે પ્રોજેલ શરીર દ્વારા થયેલી જે કિયા તે દુપ્રયુક્તકાચિકી ક્રિયા. સંજના જુદા જુદા ભાગોને મેળવીને એક વસ્તુ તૈયાર કરવી જેમકે હળ, ઝેર મિશ્રિત વસ્તુ, પક્ષી કે મૃગને પકડવાનું યંત્ર–આવા સંજન રૂપ જે અધિ કરણ ક્રિયા તે સંજનાધિકરણ. નિર્વતના–તલવાર બરછી, આદિ શસોની બનાવટ એ નિર્વર્તનરૂપ જે અધિકરણ કિયા તે નિર્વત્તાધિકરણ. જીવપ્રાàષિકી–પિતા ઉપર કે બીજા ઉપર કરેલ દ્રષદ્વારા થયેલી ક્રિયા અથવા પિતા ઉપર અને બન્ને ઉપર જે દ્વેષ ક તે જીવપ્રાષિકી ક્રિયા. અજીવ પ્રાષિકી–અજીવ ઉપર કરેલ ઢષ દ્વારા થયેલી કિયા અથવા અજીવ ઉપર જે દ્વેષ કર તે અજીવ પ્રાÀષિકી ક્રિયા. સ્વહસ્તપરિતાપનિકી–પિતાના હાથે, પિતાના કે પરના કે બન્નેના પરિતાપન-દુઃખની ઉદીરણા દ્વારા થયેલી કિયા અથવા એ પરિતાપન જ, તે સવહત પરિતાપનિકી ક્રિયા.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy