________________
(૧૯) એમની ઇન્દ્રિયરૂપી દેવતાઓને અવલોકવા, વિચારવા અને વર્ણવવાની સહજ નૈસર્ગિક શક્તિ છે! પૂજ્ય મહારાજશ્રી બળવાન આત્મા છે. સામાનમાં સ્ત્રીનેર અચ્ચઃ મહારાજશ્રી પોતાના મજબૂત હૃદયબળથી બીજાઓની નબળાઈ પારખી શકે છે. પરંતુ એમનામાં ઉદાર ચરિત્રોની વસુવ કુટુરમૂની મહાન દિવ્ય ભાવના છે. એ ક્ષમા કરી શકે છે, મીઠા શબ્દોમાં વિનોદ કરતી એમની કલમ કયારેક કટાક્ષમયતા તરફ ઝેક લઈને ફરી પાછી “ામાં તેનાં ગુણ તરફ વહે છે....”
- આ છે તેના આંતર જીવનનું તાદશ્ય ચિત્ર. જો કે તેઓ પ્રવૃત્તિ માર્ગમાં જ વધારે લીન હતા. છતાં તેઓ અન્તર્મુખી પણ હતા. કોઈ પણ પ્રવૃત્તિ તેમની રાગ-દ્વેષાત્મક ન હતી. તેથી જ તેઓ તેમાં સફળ થયા. તેમના હૃદયની ભાવના જેનેની નબળાઈઓ દૂર કરી જૈન ધર્મને સાચા સ્વરૂપે જગત સમક્ષ મૂકવાની હતી.
જીવન રેખા
નવયુગ પ્રવર્તક સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રસિદ્ધ શિષ્યમાંના મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ એક અને લગભગ અગુઆ શિષ્ય રતન હતા.
તેઓ મહાન સુધારક, પ્રખર વક્તા, સિદ્ધહસ્ત લેખક, નિભીક વિચારક, મહાન સંચાલક અને પોતાના પ્રભાવશાલી વક્તવ્યથી સામાને આંજી નાખનાર દઢ મનોબળ ધારણ કરનાર મહાન આત્મા હતા.