SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ આત્માના પ્રબળ પુરુષાર્થ વિના આ માર્ગ અરિહંત ભગવંત વિના કોઈને પણ પ્રાપ્ય નથી. (૨૪) જ્ઞાયક-રાગદ્વેષનું સ્વરૂપ, તેમની અનંત શક્તિ અને તેમને જીતવા માટેનું સમ્યજ્ઞાન જેમણે છાઘસ્થિક જ્ઞાન ચતુષ્ટય વડે જાણ્યું છે, અને તે પ્રમાણે જ બીજા જીવને પણ રાગ-દ્વેષાદિને જીતવા માટેને ઉપદેશ આપે છે. તે ભગવાન કહેવાય છે. (૨૫) બુદ્ધ–એટલે જીવ–અજીવ–પુણ્ય-પાપ-આશ્રવ સંવર, બંધ, નિર્જર અને મેક્ષ રૂપ નવ તને જેઓએ યથાર્થરૂપે જાણ્યા છે તે ભગવાન છે. નવતને પહેલા સમ્યફ પ્રકારે જાણવા અને જાણેલા તને સમ્યગદર્શનવડે શ્રદ્ધામાં ઉતારવા અને ચારિત્ર અર્થાત્ જાણેલા અને શ્રદ્ધાચેલા તત્વોને જીવનમાં ઉતારવા એજ એક માનવ કર્તવ્ય છે. અને અરિહંતના માર્ગે જવાને સરળ ઉપાય છે. (૨૬) બેધક–પોતે જાણેલા જીવાદિ તને તથા રૂપેજ બીજાઓને ઉપદેશ દેનારા ભાવદયાના માલિક, પતિતપાવન, ભગવાન મહાવીર છે. (૨૭) મુક્ત-બાહ્ય અને આભ્યન્તર ગ્રન્થિને જેમણે તેડી નાખી છે તે મુક્ત કહેવાય છે. ગૃહસ્થાશ્રમ–પુત્રપરિવાર માતાપિતા–ધન-ધાન્ય–સુવર્ણ, રજત આદિ બાહ્ય પરિગ્રહ છે. અને મિથ્યાત્વ વેદત્રય. હાસ્ય-રતિ-અરતિ–ભય-શેક, જુગુપ્સ ક્રોધમાન-માયા અને લેભ આ પ્રમાણે આભ્યન્તર ગ્રન્થિ છે, આ બંને ગ્રન્થિઓને તોડીને કર્મના પિંજરામાંથી સર્વથા મુક્ત થયા છે તે ભગવાન છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy