SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ “માન્ય “સ્યાદવાદ ધર્મ” અમર તપે છે. જેને લઈને અર્થાત દ્રિવ્યમાત્ર પોતાના મૂળ સ્વભાવને છોડયા વિના એક પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, અને બીજા પર્યાયરૂપે નાશ પામે છે આમ પ્રયક્ષ નજરે જોવાતું સંસારનું સંચાલન આપણને સૌને યથાર્થ દેખાય છે, અને જે પ્રત્યક્ષ અનુભવાય છે તે જ સાચું તત્ત્વજ્ઞાન છે. અનંતાનંત પુદ્ગલોથી ભરેલે આ સંસાર છે. તેમાં અમુક પુદ્ગલે જ “કર્મવર્ગણાના છે જેનાથી આઠ કર્મો બંધાય છે. તેમાં નામકર્મ પણ છે. આ કર્મ તથા તેનાં અવાંતરભેદો ને લઈને શરીરની રચના કરનાર આ જીવ પોતે જ સમર્થ શકિતમાન છે ગતભવમાં શુભ કે અશુભ નામકર્મની ઉપાર્જના કરી હોય તે જ પ્રમાણે જન્મ ધારણ કરતા આ જીવને તે કમ ઉદયમાં આવે છે અને તેવા તેવા પ્રકારે શરીરની રચના થાય છે. માનવ કે તિર્યંચ અવતારને ધારણ કરનારા જીવને કુક્ષિગત વીર્ય અને રજની જ આવશ્યકતા પડે છે જેમાં આ જીવ જન્મ ધારણ કરે છે. પિતાના શુભાશુભ કર્મોને ભેગવવા માટે ધારણ કરતા શરીરની રચનામાં પુગલે જ ઉપકારક છે. જેનાથી સંસારવતી બધાએ જી શરીર ધારણ કરે છે. ભાષા પર્યાપ્તિ નામકર્મ વડે બેઈન્ડિથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવ પોતપોતાની ભાષાને વ્યવહાર કરે છે. આ ભાષા વર્ગણ અર્થાત્ જે ભાષા આપણે બોલીએ છીએ તે કર્મ પુદ્ગલે જ છે. શબ્દ પણ પગલિક છે. કેમકે ગુણેને ગતિ હતી નથી પણ પુદ્ગલે તે પ્રેગને
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy