SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–રજુ ઉદ્દેશક–૧૦] [ ૧૮૫ તે આ પ્રમાણે ચાલવાવાળા જીવને ધર્માસ્તિકાય ચલાવ્યા જ કરશે અને ઉભા રહેવાવાળા જીવને અધર્માસ્તિકાય ચાલવાજ નહીં દે. પરન્તુ અનાદિકાળના સંસારમાં આવું ક્યારે પણ બન્યું નથી, બનતું નથી, અને અનંત સંસારમાં બનશે પણ નહિં. જિનેશ્વરદેવનું શાસન લોકની મર્યાદાને વ્યવસ્થિત પ્રદર્શિત કરવાવાળું છે. ગધેડાને શંગની જેમ અસત્કલ્પના અથવા આકાશમાંથી કુલ ઉતારવા જેવી મિથ્યા–બ્રમણા જૈનશાસનમાં નથી. - જીવ અને પુગલને સહાયક રૂપે આ બન્ને દ્રવ્ય લેકકાશમાં રહે છે. અર્થાત્ લોકાકાશના છેલ્લા પ્રદેશ સુધી જ છે. માટે અલોકાકાશમાં જીવ અને પુદ્ગલ ધર્માસ્તિકાયની સહાયતા ન હોવાના કારણે જઈ શકતા નથી. નિવણ દશાને પામેલો જીવ સિદ્ધશિલા ઉપરજ વિરાજમાન હેય પુગલ દ્રવ્યથી બનેલે બંગલે જેમ સાંત છે, તેવી જ રીતે ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય જ્યાં વિરામ પામે છે. તે લોકાકાશ પણ સાંત છે, એટલે અંતવાળે છે, માટે જ એક લોકાકાશ છે જ્યારે બીજે અલોકાકાશ એટલા માટે છે કે–ત્યાં ધર્મ અને અધર્મના પ્રદેશ નથી. ધર્મ અને અધર્મ સહાયતા વિના એક પણ જીવ અને પુદગલ ત્યાં જઈ શકે તેમ નથી. તોના વિભાગીકરણમાં જૈન શાસનની આ સ્પષ્ટ -મર્યાદા છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, અને આકાશાસ્તિકાયને જગત ઉપર જે ઉપકાર છે તે જાણ્યા પછી પુદગલાસ્તિ કાયને ઉપકાર શું છે ? તે જાણી લઈએ. યદ્યપિ પુદગલ
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy