SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ જ્યોતિષ્ક અને વૈમાનિક બેસે છે ત્યારે નિશ્ચિત છે કે તે ગુણ છેષી,તપે તેવી અને વ્યક્તિષી માણસના મુખે કદિ પણ સત્યભાષણ તમે સાંભળી શકવાના નથી. , હાસ્ય એટલે મશ્કરી કરવાના સ્વભાવને તો અસત્યને જનક (પિતા) કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં તે સત્ય ભાષા કેવી રીતે બેલશે ? પ્રસંગ વિના વધારે પડતું બોલવામાં તથા અતિશયોક્તિ કરવામાં પણ મૃષા ભાષણ કરવું જ પડે છે. અને બીજાઓને તું ચોર છે, તું બદમાશ છે, કાણો છે, દુરાચારી છે, આ પ્રમાણેની ભાષાને પણ મહાવીરનું શાસન અસત્ય ભાષા કહે છે. સંસારભરના સંપૂર્ણ દર્શનમાં જૈન શાસનની આજ દીર્ધદષ્ટિતા છે. જેને લઈને માનવ માત્રની માનવતા, ધાર્મિક્તા અને છેવટે આત્મત્વની પરિપૂર્ણતા પ્રાપ્ત થાય છે. જૈનશાસને હિંસા વિરમણવ્રત, અને મૃષાવાદ વિરમણવ્રતની પ્રતિપાદન કરી છે. કેમકે અહિંસા વ્રત કે સત્યવ્રત સ્વતઃ કોઈ પદાર્થ છે જ નહિ. માટે સૌ પ્રથમ અહિંસાવ્રતને કે સત્ય વ્રતને અંડે લઈને ફરવા કરતાં અનાદી કાળથી હિંસા, હિંસક ભાવના, હિંસક ભાષા અને મૃષાભાષાની જે ટે–આદતો આપણું જીવનમાં પડી છે, તેને દૂર કરવા માટે જ પ્રયત્નશીલ થવાની જરૂરત છે. આ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ જ્યારે જીવનમાંથી જશે ત્યારે જ માનવ અહિંસક અને સત્યવાદી બનશે. એટલે કે હિંસાજન્ય સંસ્કારને ત્યાગ કર્યા વિના કેઈ પણ માણસ અહિંસક બની શકતો નથી. એજ પ્રમાણે મૃષાવાદને ત્યાગ્યા વિના સત્યવાદી બનવાને ઢંગ સર્વથા હેંગ જ છે. માટે સત્યવાદી બનાવાવાળાને સર્વ
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy