SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨ નું ઉદ્દેશક-૫] [૧૬૩ વિકમની પાંચમી શતાબ્દીમાં હિન્દના પ્રવાસે આવનાર ચીનાઈ ફાહીયાન અને સાતમી શતાબ્દીમાં હુએનસાંગના સમયમાં પણ એજ કુંડ હતા અને અત્યારે પણ એજ કુંડ છે. રાજગૃહી નગરી બિહાર પ્રાન્તમાં પટણા જીલ્લામાં છે. ચાર પ્રકારની ભાષા આ પ્રકરણમાં કેવળ ભાષા સંબંધી એક જ પ્રશ્ન છે. ગૌતમસ્વામીએ “ભાષા અવધારિણું છે. એમ હું માનું એ પ્રશ્ન પૂછે છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રનાં ભાષા પદને ઉલેખ કરવામાં આવ્યો છે. અહીં ભાષા વિચારનું કેષ્ટક આપ્યું છે. તેમાં જણાવ્યા પ્રમાણે સત્ય ભાષા, અસત્ય ભાષા, સત્ય મૃષા ભાષા, અને અસત્ય અમૃષા ભાષા એમ ચાર પ્રકારની ભાષા બતાવી છે. પ પ. બીજાઓને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે “ભાષા વ્યવહાર જ સર્વ શ્રેષ્ઠ સાધન છે. માટે જ પાંચ જ્ઞાનમાં શ્રતજ્ઞાનને છોડીને બીજા ચારે જ્ઞાનેને મૂક કહ્યા છે. કેવળજ્ઞાન પણ મૂક હોવાના કારણે જ દેવાધિદેવ તીર્થકર કેવળજ્ઞાનીઓને પણ “શ્રુતજ્ઞાનને આશ્રય જ લેવો પડે છે. ગતભવમાં ભાષાપર્યાપ્તિ. નામકર્મ ઉપાર્જન કરેલું હોવાના કારણે જ આ ભવમાં પોતાને માનસિક અભિપ્રાય જ્યારે બીજાઓને જણાવવાનું હોય છે. ત્યારે આ જીવાત્મા ભાષા વર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરે છે અને બહાર કે કે છે. અજોડ શક્તિને ધારણ કરનારા આ ભાષા પુદ્ગલે બહાર આવતાં જ સામેવાલા ઉપર જાદુઈ અસર કરે છે. ભાષા બેલનાર વ્યક્તિ જેવા પ્રકારને આચાર રાખનાર હશે. આ જ ઉચ્ચાર તે કરશે. ખાધેલા ખોરાકને અનુસારે જ ઓડકાર આવે
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy