SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮] - | [ભગવતીસૂત્ર સારસંગ્રહ | સમાતીત વિષયવાસના, ભેગવિલાસ, પરિગ્રહની મમતા તથા અત્યુત્કટ પાપોના કારણે એકેન્દ્રિય અવતારને પામેલા અનંતાનંત છને રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, નેગેન્દ્રિય અને શ્રવણેન્દ્રિયના આવરણીય કર્મોને ઉદય હોવાથી તેમને જીભ, નાક, આંખ અને કાન ઈન્દ્રિયોથી સર્વથી વંચિત રહેવાનું હોય છે. તેથી તેમને સ્પર્શેન્દ્રિય નામની એક જ ઈન્દ્રિય હેવાથી અત્યન્ત અસ્પષ્ટ વેદનાઓને ભેગવતાં છેદન–ભેદન સહન કરતાં, શરદી–ગરમી તથા હિમપાતની તીવ્ર વેદનાને વેદતાં એકેન્દ્રિય જીવો અસંખ્યાત અને અનંતકાળ સુધી ત્યાં જ રહે છે. આમાં પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિ કાયના જીવોનો સમાવેશ થાય છે. જે સ્થાવર નામકર્મના કારણે સ્થાવર કહેવાય છે. બેઈન્દ્રિયના જીવોને સ્પશ અને જીભ ઇન્દ્રિય હોય છે. જ્યારે નાક, આંખ અને કાન ઇન્દ્રિયોના આવરણ કમેને પ્રબલ ઉદય હોવાથી તેમને નાક, આંખ અને કાન નથી હેતા, માટે જ આ ત્રણે ઇન્દ્રિયના જ્ઞાનથી તેઓ હંમેશાને માટે વંચિત રહે છે.. બે ઈન્દ્રિય માં બધી જાતના નાના મેટાં શંખ, કેડા, કેડી, પેટમાં થનારા કરમીયાં ખરાબ લેહીને ચૂસવાર જળ, અળસીયાં, વાસી રોટલી, રોટલા, ભાત, નરમ પુરી વગેરેમાં ઉત્પન્ન થનારા કીડા, લાકડાના કીડા, પેટમાં, ફોડલામાં, મસામાં, એઠવાડમાં થનારા નાના કરમીયા, વાસી પાણીમાં ઉત્પન્ન થનાશ પારા, નાની મોટી સીપ તથા વાળાના છ વગેરે આવી જાય છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy