SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪]. [ભગવતીસૂત્ર સારસંગ્રહ બીજી રીતે ઈન્દ્રિયના બે ભેદ બતાવ્યા છે. ૧ દ્રવ્ય ન્દ્રિય અને ૨ ભાવેન્દ્રિય દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે. નિવૃત્તિ અને ઉપકરણ ભાવેન્દ્રિયના બે ભેદ છે. લબ્ધિ અને ઉપયોગ. વૈકિય શરીર હોવાથી તેમની વિકિયાએ પણ અશુભ જ હોય છે. સુખને માટે કરાતી વિકિયા ઘેરાતિઘોર દુઃખદાયી બની જાય છે મનુષ્ય અવતારમાં દુબુદ્ધિવશ, સ્વાર્થવશ, પુત્ર પરિવાર પ્રત્યે મેહવશ ઘણી જાતના આરંભે-સમારંભે ક્યાં છે. પરિગ્રહની માયાજાળમાં હજારો લાખો પ્રકારે ખોટા વ્યાપાર, બેટા તેલ માપા, વ્યાજના ગોટાળા, ભાવના વધારા, સેળભેળના પાપ, તથા ઘણા જીવોની હત્યા, જૂઠ, પ્રપંચ, પરસ્ત્રીગમન આદિ અનેક પ્રકારના દુકૃત્યો કરીને અસંખ્ય જી. સાથે વૈર વિરોધ, મારપીટ ઝઘડા આદિ કર્યા છે. એ બધા પાપના પિોટલા લઈને નરકભૂમિમાં ઉત્પન્ન થયેલે જીવ વિર્ભાગજ્ઞાન દ્વારા ચારે બાજુના નારકજીવોને વરી તરીકે જ જુએ છે. અને પિતાના વૈરને યાદ કરીને એ નારકજીવો આપસમાં પિતાના આયુષ્યકર્મ પર્યન્ત ભાલા, તલવાર, બરછી, મુદ્દગલ, સાંબેલું, બાણ, શક્તિ, લાકડી, ગોફણ વગેરે શસ્ત્રોથી લડતાં જ રહે છે. લોહીલુહાણ થાય છે. માંસ, હાડકા બહાર નીકળે. ત્યાં સુધી લડતા જ રહે છે, ત્યાં તેમને કઈ છોડાવનાર નથી. મનુષ્ય જીવનમાં પુત્ર, એ, માતાઓ અને પુત્રીઓ માટે જે પાપ કર્યા હતા, તે પાપે એકલાને જ ભેગવવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. પૂર્વભવમાં અત્યન્ત કિલસ્ટ કમેને લઈને અસુર ગતિને પામેલા પરમધામિઓ જેઓ
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy