SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨.] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ છતાં પણ હજુ મને ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષેકાર-પુરુષાર્થ છે. માટે ભગવાનની આજ્ઞા લઈ હું અનશન કરું, શરીરને સિરાવું.” .. ત્યારે તેઓ ભગવાન પાસે જાય છે. ભગવાન પોતે જ તેમને સંકલ્પ કહી દે છે, ને અનશનની આજ્ઞા આપે છે. તેઓ વિપુલ પર્વત ઉપર ગયાં. અને એક શિલાપટ્ટક ઉપર ડાભને સંથારે પાથરી, પૂર્વ દિશા તરફ મુખ રાખી, પર્યકાસને બેસી, દશે નખ સહિત બન્ને હાથને ભેગા કરી. માથા સાથે અડાડી, ભગવાનને નમસ્કાર કર્યો. એમ વાંઢી નમી, મહાવ્રતાને પુનરુચ્ચારણ કરી-ચારે આહારને ત્યાગ. કર્યો. તેઓ ઝાડની માફક સ્થિર થયા. તેઓએ એક મહિનાની સંલેખના કરી, આલેચના અને પ્રતિક્રમણ કરી, સમાધિપૂર્વક કાલધર્મને પામ્યા. તેમની પાસે વિપુલ પર્વત ઉપર રહેલા સ્થવિરેએ. સ્કંદક અણગારને કાલધર્મ પામેલા જોઈ કાર્યોત્સર્ગ કર્યો એમના વસ્ત્રો અને પાત્રો લઈ લીધા અને વિપુલ પર્વતથી. નીચે ઉતરી શ્રમણ ભગવાન મહાવીર પાસે આવ્યા. ત્યાં આવીને ભગવાનને સ્કંદક અણગારના કાલધર્મ પામ્યાના સમાચાર આપ્યા અને તેમના ઉપકરણે, વસ્ત્રો તથા. પાત્રો આપ્યા, - ગૌતમ સ્વામીએ ભગવાનને વાદીને પૂછયું કે–ભગવાન ! આપના શિષ્ય કંઇક અણગાર કાલ કરી કયાં ગયા? ભગવાને કહ્યું “તેઓ અચુતકલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ત્યાં બાવીશ સાગરોપમનું આયુષ્ય ભેગવી ભવને.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy