SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ મહાવીર ઃ ત્રણ પરમાણુ પુદ્ગલ ઍટી જાય છે. કારણ ત્રણ પરમાણુ પુદગલમાં ચિકાશ છે. તેના બે ભાગ કરીએ તે એક તરફ એક અને એક તરફ બે પ્રદેશવાળે કંધ આવે. ત્રણ ભાગ કરીએ તે એક એક આવે ત્રણ પરમાણુના બે ભાગ કરતાં દોઢ દોઢ પરમાણુ આવે. એમ જ્યારે સ્વીકારવામાં આવ્યું તો પછી એ દોઢ પરમાણુ ચિકાશ વિના કેમ રહી શકયા ? અને જે દોઢ પરમાણુ એક બીજાને મળીને રહી શકે છે– ચેટી શકે છે તે પછી બે કેમ ન મળી શકે ? વળી એ પણ સમજવાનું છે કે પરમાણું એક એવી સૂમ ચીજ છે કે-એક પરમાણુના ભાગ થઈ શકે જ નહી. અન્ય : પાંચ પરમાણું પુદ્ગલે પરસ્પર ચોંટી જાય છે. ચોટયા પછી કંધ રૂપે બની જાય છે, તે અંધ શાશ્વત છે. હમેંશા સારી રીતે ઉપચય અપચય પામે છે. મહાવીર : અન્ય મતના કહેવા પ્રમાણે જે તે પાંચ પરમાણુને કંધ શાશ્વત છે, તો પછી ઉપચય-અપચય કેમ થઈ શકે ? ત્યારે કહેવું જોઈએ તે અશાશ્વત છે. પામતું નથી. જયારે પર્યાપરૂપે તેમા ઉત્પાદ અને નાશ બનતે જ રહે છે. વ્યવહાર ન જેમ બાલકનું બાલવ અશાશ્વત છે. તેમનિશ્ચય નયે બાતત્વ (અસંયમી જીવન) પણ અશાશ્વત છે. જે પરિસ્થિતિ વશ બદલતા રહે છે. વ્યવહારનયે પંડિત એટલે શસ્ત્રોનો જ્ઞાતા છે અને નિશ્રયનચે સંયમી જીવ પંડિત છે. સંયમી સાઘુ ભલે અષ્ટ પ્રવચન માતાને જાણકાર હશે. તેથી એ પંડીત છે. પણ યમ-નિયમ અને પ્રત્યાખ્યાન વિનાને ગમે તેવો મોટો શાસ્ત્રજ્ઞાતા પણ પંડિત નથી.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy