SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ - [ ૬૩ શતક-૧લું ઉદ્દેશક–પ ] આ પછી અવગાહના સ્થાન બતાવવામાં આવેલ છે, અર્થાત્ એ નૈરચિકેનાં અવગાહના સ્થાને અસંખ્ય છે. ઓછામાં ઓછી અંગુલના અસંખ્યય ભાગ જેટલી અવગાહના, તે એક પ્રદેશાધિક, બે પ્રાદેશાધિક–એમ યાવત અસંખેય પ્રદેશાધિક જાણવી. - નરયિકેને ત્રણ શરીરે બતાવવામાં આવ્યા છે–વૈક્રિય તૈજસ અને કામણ. નરયિકને શરીર–સંઘયણ નથી હોતું. તેમનાં શરીરમાં હાડકાં, નસો અને સ્નાયુ નથી હોતા. અને શરીર–સંઘાતનપણે જે પુદ્ગલે પરિણમે છે, તે અનિષ્ઠ, અકાંત, અપ્રિય, અશુભ અને અમનેઝ હોય છે. નરયિકનાં શરીરના સંસ્થાનનાં સંબંધમાં કહેવાયું છે. કે નરયિકેના શરીરે બે પ્રકારનાં છે. ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. ભવ ધારણીય એટલે જીવે ત્યાં સુધી રહેનારૂં શરીર, ભવધારણીય શરીર અને ઉત્તર વૈક્રિય શરીર અને હૂંડક સંસ્થાનવાળાં કહ્યાં છે.૧૬ ક ૧૬. નરભૂમિએ એક બીજાની નીચે નીચે એમ સાત જ છે. જે સ્થળે આપણે બેઠા છીએ ત્યાંથી એક લાખ એંશી હજાર જન જાડાઈવાળા પહેલી નરકભૂમિ છે. ઉપર અને નીચેથી એક એક હજાર જન છેડીને બાકીના ૧૮૦૦૦. જનવાલી નરકભૂમિમાં એક મહેલના માળાની જેમ ૧૩ પડલ (પ્રસ્તર–માળા) છે અને તેમાં ૩૦ લાખ નરકાવાસે છે. એટલે કે પહેલી નરકભૂમિમાં ઉત્પન્ન થનારા નારકી. અને પ્રાયઃ કરીને ૩૦ લાખ સ્થાન (આવાસ) છે. આમ સાતે ભૂમિમાં પ્રાયઃ કરીને ૮૪ લાખ આવાસો છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy