SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૮૨૪ – તો પછી મોક્ષ નિત્ય-અવિનાશી નહિ થાય પણ ઘટની જેમ કૃતક હોવાથીપ્રયત્ન પછી થતો હોવાથી અને આદિમાન હોવાથી અનિત્ય વિનાશી થશે ? ૬૪ ઉત્તર-૮૨૪ – નહિ થાય. કેમકે તારો હેતુ વિપક્ષમાં રહે છે તેથી અનેકાંતિક છે. જેમકે ઘટ વગેરેનો પ્રધ્વંસાભાવ કૃતકાદિ સ્વભાવવાળો છે તો પણ નિત્ય છે. એ જો અનિત્ય માનીએ તો ઘટાદિ ફરી તેવા રૂપે ઉત્પન્ન થવા જોઈએ. પ્રશ્ન-૮૨૫ – પ્રધ્વંસાભાવ તો અભાવરૂપ છે એટલે વસ્તુરૂપ નથી એ માટે તે ઉદાહરણ શી રીતે થશે ? ઉત્તર-૮૨૫ – પ્રધ્વંસાભાવ અવસ્તુરૂપ નથી પણ વસ્તુરૂપ છે. કારણ કે નિશ્ચિત કુંભવિનાશરૂપ જે વિશિષ્ટ પુદ્ગલાત્મકભાવ છે (કપાળ-ઠીકરાદિ થવા રૂપ) તે પ્રÜસાભાવ છે. એટલે અમે કહેલ ઉદાહરણ યોગ્ય છે. તેથી મોક્ષને કૃતકાદિ સ્વભાવવાળો માનો તો પણ અનિત્ય નહિ કહી શકાય. અથવા મોક્ષ કૃતક છે જ નહિ કેમકે, આત્મા અને કર્મ પુદ્ગલોનો વિયોગ એ જ મોક્ષ કહેવાય છે. જ્યારે તપ-સંયમાદિના પ્રભાવે આત્માથી કર્મો જુદા પડે છે ત્યારે આત્માનું શું કરવું કે જેથી મોક્ષને કૃતકાદિ સ્વભાવવાળો માનીને તેમાં અનિત્યતા કહે છે ? તે વખતે આત્મા સ્વસ્વરૂપમાં જ સ્થિત થાય છે, એટલે એમાં કાંઈ વિશેષતા નથી કરાતી કે જેથી તે કૃતક કહેવાય. પ્રશ્ન-૮૨૬ – · તમારા હિસાબે આત્મા અને કર્મનો વિયોગ કરાય છે એટલે તે કૃતક જ થાય ને અને મૃતક હોવાથી મોક્ષને નિત્ય કઈ રીતે કહી શકાય ? ઉત્તર-૮૨૬ – મુદ્ગરાદિ વડે ઘટ માત્રનો જ વિનાશ થવાથી જેમ આકાશમાં કાંઈ વિશેષતા થતી નથી તેવી રીતે અહીં પણ કર્મ માત્રનો વિનાશ થવાથી આત્મામાં કાંઈ વિશેષ થતું નથી માટે મોક્ષને કૃતક માનીને અનિત્ય ન કહેવાય. પ્રશ્ન-૮૨૭ – જેમ ઘટનો વિનાશ કરાય છે તેમ કર્મનો પણ વિનાશ કરાય છે તેથી તે મૃતક છે એટલે સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષ પણ અનિત્ય જ થાય શું વાંધો છે ? ઉત્તર-૮૨૭ જેમ ઘટનો વિનાશ થતાં છતાં આકાશનો સદ્ભાવ હોય છે. તેથી તે આકાશથી ઘટિવનાશ કાંઈ ભિન્ન નથી અને આકાશનું કાંઈ વિશેષ કરાતું નથી. કારણ કે તે હંમેશા અવસ્થિત હોવાથી નિત્ય છે. એમ અહીં કર્મનો વિનાશ થતાં જે ફક્ત આત્માનો સદ્ભાવ છે, તેનાથી કવિનાશ કાંઈ જુદો નથી અને આત્મામાં કાંઈ વિશેષ
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy