SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૭૫૦ – ના, કારણ કે શરીર અને જીવનો પર્યાય વચનથી ભેદ છે, જ્યાં-જ્યાં પર્યાય-વચનથી ભેદ છે ત્યાં-ત્યાં ઘટ અને આકાશની જેમ ભિન્નતા છે, જેમકે ઘટ-કુટ-કુંભકળશાદિ ઘટના પર્યાય છે, આકાશ-વ્યોમ-અંતરીક્ષાદિ આકાશના પર્યાય છે, અહીં પણ જીવજંતુ-અસમાન્-પ્રાણી-સત્ત્વ-ભૂત-આત્મા વગેરે જીવના પર્યાય છે. અને શરીર-તનુ-વપુ-કાય વગેરે શરીરના પર્યાય છે. આમ, પર્યાય-વચનમાં ભેદવાળી વસ્તુને પણ એક માનો તો સર્વત્ર ઐક્યનો પ્રસંગ આવે. વળી તું કહે છે શરીર જ વ્યાપાર કરતું જણાય છે ત્યાં શરીરના સાહચર્યથી ઊભા રહેવું વગેરે કાર્ય થતા હોવાથી શરીરમાં જીવનો ઉપચાર કરાય છે. અને એવું પણ કહેવાય છે “તેમાંથી જીવ ગયો, હવે શરીરને બાળી નાંખો”, આત્મા તો જ્ઞાનાદિ ગુણોવાળો છે અને શરીર જડ છે તો શરીર એ જ આત્મા કઈ રીતે કહી શકાય ? ૨૨ તથા, સંશયાદિ તારા વચનોની જેમ ‘જીવ છે’ એ મારૂં વચન હોવાથી સત્ય છે. અથવા ‘જીવ છે’ એ કથન સર્વજ્ઞનું વચન હોવાથી, તને ઈષ્ટ એવા સર્વજ્ઞના વચનની જેમ સત્ય છે. વળી, હું રાગ-દ્વેષ-ભય અને મોહથી રહિત હોવાથી મારૂં વચન દોષ રહિત અને સત્ય છે. પ્રશ્ન-૭૫૧ – તમે સર્વજ્ઞ છો અને ભયાદિ રહિત છો એવું કઈ રીતે માનવું ? ઉત્તર-૭૫૧ – તારી શંકા અયોગ્ય છે. કેમકે હું સર્વ સંશયોનો છેદનાર છું અને સર્વસંશયોનો છેદનાર જ સર્વજ્ઞ કહેવાય, તે બાબતમાં જે તું ત્રણ લોકમાં રહેલી વસ્તુ ન જાણતો હોય તે મને પૂછ કે જેથી તારા સર્વસંશયો હું છેલ્લું અને તને મારા સર્વજ્ઞપણાનો પ્રત્યય થાય. વેદાન્તવાદી મત પ્રશ્ન-૭૫૨ - • આત્માના ઘણા પ્રકાર ન હોઈ શકે કેમકે તે સર્વત્ર એક જ છે - એક જ ભૂતાત્મા દરેક ભૂતમાં રહેલો છે, તે એક છતાં પણ પાણીમાં ચંદ્રની જેમ અનેક પ્રકારે જણાય છે. તિમિરના દોષવાળો મનુષ્ય વિશુદ્ધ આકાશને ભિન્ન ભિન્ન માત્રાઓ વડે જેમ સંકીર્ણ માને છે તેમ આ નિર્મળ-નિર્વિકલ્પ બ્રહ્મ મેલું થયેલાની જેમ અવિદ્યાથી ભેદરૂપે જણાય છે. જેનાં મૂળ ઉપર છે, શાખા નીચે છે, અને છંદો જેનાં પાંદડા છે એવા આત્માને વેદજ્ઞ અવ્યય અશ્વત્થ કહે છે. તથા પુરુષ વેત્ નિ સર્વ, ચત્ મૂર્ત, યધ્વ ભાવ્યું, તામૃતત્વસ્થેશાન:, યન્નેનાતિોહતિ, વલેનતિ, યૌત્તિ, યર્ રે, યવૃત્તિ, યવન્તરસ્ય સર્વસ્વ, યત્ સર્વસ્વાસ્ય વાદ્યત: ' એટલે આ ચેતન અચેતન જે કાંઈ દેખાય છે તે સર્વ પુરુષ-આત્મા જ છે, જે થઈ ગયું, જે થશે, જે મોક્ષનો સ્વામી છે, જે આહાર વડે વધે છે, જે કંપે છે, જે ચાલે છે એવા અશ્વાદિ, જે સ્થિર છે તે પર્વત વગેરે, મેઘ વગેરે જે દૂર છે, જે નજીકમાં છે, જે સર્વ ચેતન-અચેતનની અંદર-બાહર છે તે સર્વે પુરુષ-આત્મા જ છે એ સિવાય બીજું શું છે ?
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy