SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૭૭ દ્રવ્ય :- એક વિવક્ષિત પુરુષદ્રવ્યને આશ્રયીને કૃત સામાયિક સાદિ-સાંત હોવાથી નાનાપુરુષદ્રવ્યોને આશ્રયીને અકૃત-અનાદિ-અંત હોવાથી દ્રવ્યાદિ ચતુષ્કને આશ્રયીને કૃતઅકૃત સામાયિક વિચારવું. ક્ષેત્ર :- ભરતૈરાવત ક્ષેત્રાશ્રયીને કૃત, મહાવિદેહ ક્ષેત્રોમાં અકૃત, કાળ - ઉત્સર્પિણી-અવસર્પિણી કાળાશ્રયીને કૃત, વ્યવચ્છિદ્યમાન હોવાથી અનિત્ય. નો ઉત્સર્પિણી અવસર્પિણી કાળાશ્રયી અકૃત. ભવ - એક પુરુષોપયોગાશ્રયીને કૃત, નાનાપુરુષ ઉપયોગાશ્રયીને અકૃત છે. પ્રશ્ન-૧૧૫૭– (૨) ન કાં ઉદ્દેશ નિર્દેશ નિર્ગમ અહીં સામાયિકનો નિર્ગમ કહેતાં મહાવીરથી તે નીકળ્યું એવું પ્રતિપાદનથી વેન વૃત્ત એ કહેલું જ છે અહીં ફરી શા માટે પૂછો છો ? ઉત્તર-૧૧૫૭ – તે તીર્થંકરાદિ સામાયિકના બાહ્યકર્તા ત્યાં કહ્યા છે. અહીં તો વિશેષથી અંતરંગ કર્તા જિજ્ઞાષિત છે તે નૈૠયિક સામાયિકને કરનાર સાધુ વગેરે જાણવા. તે સામાયિક પરિણામાનન્ય છે. અથવા ત્યાં નિર્ગમ દ્વારમાં ભગવાનતીર્થંકર સ્વંયબદ્ધ હોઈ સ્વતંત્ર કર્તા કહેલ છે. અહીં તે તીર્થકરના પ્રયોજન એવા કારક સાધુઆદિ કર્તા માન્ય છે. અથવા અહીં કર્તા સર્વકારક પરિણામાનન્યરૂપ માન્ય છે. તે સાધુ આદિ જ સામાયિકનો અનુષ્ઠાતા માનવો. જેમકે-સામાયિક કરતો એ કર્તા, ક્રિયમાણ તરીકે કર્મરૂપ સામાયિકથી અનન્ય હોવાથી કર્મ, જે કરણભૂત અધ્યવસાયથી સામાયિક એ કરે છે તેનાથી અભિન્ન હોઈ કરણ, ગુરુદ્વારા એને સામાયિક અપાય છે એટલે સંપ્રદાન. એનાથી શિષ્ય-પ્રશિષ્ટ પરંપરા દ્વારા સામાયિક પ્રવર્તશે એટલે અપાદાન, સ્વપરિણામમાં અવ્યવચ્છિન્ન સામાયિક ધારણ કરે છે એટલે અધિકરણ આ રીતે સર્વકારક પરિણામાનન્યરૂપ એ કર્તા થાય છે. પ્રશ્ન-૧૧૫૮ – જો અંતરંગ પ્રયોજ્ય અને સર્વકારકપરિણામાનન્યરૂપ કર્તા સાધુની અહીં વિવક્ષા છે તો જિનેન્દ્ર અને ગણધરો દ્વારા કરાયેલું એમ કેમ કહ્યું જિનેન્દ્રગણધરોની તો અહીં વિવફા નથી? ઉત્તર-૧૧૫૮ – સાચું છે, પરંતુ જિનેન્દ્રનું પણ અંતરંગ કર્તુત્વ-પરિણામાનન્દુત્વરૂપ કર્તુત્વ પ્રાયઃ વિરુદ્ધ નથી. તેઓએ પણ તે અનુષ્ઠાન કર્યું છે. ગણધરોનું તો પ્રયોજ્ય કર્તુત્વ પણ ઘટે જ છે, તેઓ જિનેન્દ્ર પ્રયોજય છે. એટલે જિનેન્દ્ર-ગણધરોનો ઉપવાસ પણ વિરોધિ નથી.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy