SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ _ જપ ગુજરાતી પ્રશ્નોત્તર (૩) અષાઢાચાર્યના શિષ્યો-જેતવિકા-૨૧૪ વર્ષ ભગવાનના નિર્વાણ પછી (૪) અમિત્ર-મિથિલા-૨૨૦ વર્ષ-ભગવાનના નિર્વાણ પછી (૫) ગંગ-ઉલ્લકાતીર-૨૨૮ વર્ષ-ભગવાનના નિર્વાણ પછી (૬) ષડુલક-પુરમંતરંજિકા–૫૪૪ વર્ષ-ભગવાનના નિર્વાણ પછી (૭) ગોષ્ટામાહિલ-દયપુર-૫૮૪ વર્ષ-ભગવાનના નિર્વાણ પછી (૮) બોટિશિવભૂતિ-રથવીરપુર-૬૦૯ વર્ષ-ભગવાનના નિર્વાણ પછી બહુરત નિદ્વવની ઉત્પત્તિ કુડપુરનગરનો રાજકુમાર ભગવાન મહાવીરનો ભાણેજ તથા જમાઈ જમાલી હતો. તેણે પાંચસો પુરુષો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી તેમજ ભગવાનની પુત્રી સુદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓ સાથે તેની પાછળ દીક્ષા લીધી. અગિયાર અંગ ભણ્યા. એકવાર પરમાત્માની આજ્ઞા વિના અન્યત્ર વિહાર કર્યો ત્યાં કેટલાંક દિવસે આંતપ્રાંત આહારથી જમાલીને દાહજુવર થયો. બેસવાને પણ તે અશક્ત થયો. એટલે મુનિઓને શીધ્ર સંથારો કરવા કહ્યું. પણ અત્યંત પીડા થવાના કારણે ફરી પૂછ્યું “સંથારો કર્યો ?' સાધુઓ બોલ્યા “ર્યો. એટલે ઊઠીને ત્યાં ગયો. સંથારો અડધો પથરાયો હતો અને કેટલીક બાકી હતો. તે જોઈને ક્રોધિત થઈ મિથ્યાત્વના ઉદયથી અવિભાગ સમયની અપેક્ષાએ કહેલ “જ્યિમાં કૃત' એ સિદ્ધાંતનું વચન અસત્ય છે. બીજા મુનિઓએ અનેક યુક્તિઓથી સમજાવવા છતાં બોધ ન પામ્યો. મુનિઓમાંથી કેટલાક તેને છોડીને ભગવાન પાસે ગયા. કેટલાંક ત્યાં રહ્યા. સુદર્શનાએ પણ જમાલી ઉપરના અનુરાગથી તેનો મત સ્વીકાર્યો. તથા ઢેક શ્રાવકને પણ તે મત સ્વીકારવા ઉપદેશ આપવા લાગી. ઢકે જાણ્યું સાધ્વી મિથ્યાત્વ પામી છે. અવસર આવ્યું પરમાત્માના માર્ગમાં સ્થિર કરવી જોઈએ એક વખત ઢકે નિભાડામાં માટીના વાસણો પકવવા મૂકેલા. તે ઊંચા-નીચા કરતા તેમાંનો એક અંગારો જાણી જોઈને બાજુમાં સ્વાધ્યાય કરતી સાધ્વીના વસ્ત્ર પર નાંખ્યો, છેડો સળગ્યો એટલે બોલી. “અરે શ્રાવક!તે મારી સંઘાટી કેમ બાળી?' ઢક બોલ્યો - “ક્યાં બાળી છે' હજુ તો બળે છે બળતું હોય તે બળ્યું કેમ કહેવાય? તમારા સિદ્ધાંત મુજબ તો તમારું વસ્ત્ર ક્યાં બળ્યું છે?' વગેરે યુક્તિઓથી સાધ્વીને સન્માર્ગે લાવી. મિથ્યાદુષ્કત આપીને જમાલી પાસે ગઈ. સમજાવ્યો. પણ તે સમજ્યો નહિ. એટલે સાધ્વી પોતાના પરિવાર સાથે તેને છોડીને ભગવાન પાસે ગઈ. જમાલીએ ઘણા લોકોને પોતાનો મત અંગીકાર કરાવ્યો. ભાગ-૨/૧૧
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy