SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ શુભકાર્ય - સાધુ આદિ ભિક્ષા સ્વરૂપ કાર્યનો નિશ્ચય-રસોઈ પાકની સમપ્તિ થતાં નિધૂમક ગામ, પાણીહારીમહિલાતૂપ કુવાની પાળ વગેરે ખાલી જોઈને, અથવા કાગડા નીચે આવતા જોઈને જાણે કે “ભિક્ષાની હરહરા-પ્રસ્તાવ થયો.” એમ જાણે તે પ્રશસ્ત દેશકાળ જાણવો. અશુભ કાર્ય - માખી વગરનું મધ, પ્રગટ થયેલું ધન જોઈને તેને ગ્રહણ કરવાનો પ્રસ્તાવ, તથા કંદોઈની દૂકાન શૂન્ય જોઈને તેમાં રહેલ ખાદ્ય વસ્તુઓનો ગ્રહણ પ્રસ્તાવ, જેમ આંગણામાં સુતેલી પ્રોષિતપતિકા અને મદિરાથી મત્ત સ્ત્રીનો પણ ત્યારે કામાકુળ હોવાથી જે ગ્રહણ પ્રસ્તાવ જણાય છે તે બધાય અપ્રશસ્ત કાર્યનો દેશકાળ. () કાળકાળ - એક કાળશબ્દ કલન કાલ અને બીજો કાળ - મરણ, જેમ લોકમાં મરેલાને કહેવાય છે કાળ થયો એટલે આ જ લોકરૂઢિથી બીજો કાળ શબ્દ મરણવાચક છે. તેથી જે પ્રાણીનો જે મરણકાળ તે તીર્થકરોને કાળકાળ માન્ય છે. દા.ત. કાળા કુતરાને અમારા ઉપાશ્રય પાસે કાળ કર્યો, ત્યારે તમારો સ્વાધ્યાય દેશકાળ હતો એટલે અકાળે મરણ કરતા એ કુતરાદ્વારા કાળ હણાયો-સ્વાધ્યાય કરણ કાળ આ રીતે કાળો કુતરો અને સ્વાધ્યાયકાળાદિ કાળ શબ્દવાઓ દર્શનથી કાળશબ્દ અનેકાર્થવાળો છે. (૭) પ્રમાણ કાળ :- પ્રસ્થકના માનવી જેમ આ પ્રમાણકાળ છે અને તે અદ્ધાકાળનો વિશેષરૂપ છે એ અહોરાત્ર સંજ્ઞાવાળો છે. અને જીવ-અજીવાદિ-સ્થિતિઆદિ માન વ્યવહારમાટે એની પ્રરૂપણા થાય છે. તે બે પ્રકારે છે (૧) દિવસપ્રમાણકાળ (૨) રાત્રિપ્રમાણકાળ. ત્યાં ચાર પૌરુષીથી દિવસ થાય છે એમ રાત્રિ પણ ચાર પૌરુષીથી થાય છે. પ્રશ્ન-૮૯૫ – પૌરુષીનું માપ શું છે? ઉત્તર-૮૫ – પૌરુષીનું નિયત માપ નથી કેમકે દિવસ-રાત્રિની વૃદ્ધિનહાનિ થાય છે, દિવસ કે રાતનો ચોથો ભાગ પૌરુષી કહેવાય છે. એટલે એ દિવસ-રાત્રિની વૃદ્ધિનહાનિ દ્વારા મોટી-નાની થાય છે. ત્યાં દિવસ સંબંધિ પૌરુષીના સર્વહીન-જઘન્યમાપ અહીં ત્રણ મુહૂર્તછઘડી મકસંક્રાંતિના દિવસે જાણવું. રાત્રિ સંબંધિ પણ જઘન્ય માપ પણ એ રીતે કર્કસંક્રાન્તિની રાત્રિમાં જાણવું. ઉત્કૃષ્ટમાપ દિવસની પોરિષીનું સાડાચાર મુહૂર્ત-૯ઘડી કર્કસંક્રાન્તિમાં અને રાત્રિનું તેટલું જ મકરસંક્રાન્તિમાં જાણવું. જઘન્ય પૌરિષીથી પ્રતિદિન મુહૂર્તનો ૧૨૦મો ભાગ વધે છે અને ઉત્કૃષ્ટ પૌરિષીની પ્રતિદિન એટલી જ હાનિ પામે છે. આ હાનિ-વૃદ્ધિ દક્ષિણાયન-ઉત્તરાયણ દિવસના ભાગથી જાણવી. દક્ષિણાયના દિવસ ભાગથી ૬ માસે ઉત્તરાયણ અને ઉત્તરાયણથી એ પ્રમાણે દક્ષિણાયન. ઉત્તરાયણે પ્રતિદિન ચાર પાનીયપલોથી વધતા દિવસોના ઉત્કૃષ્ટ દિવસે ૬ મુહૂર્ત
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy