SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૯૩ ઉત્તર-૫૮૬ – દ્યોતકતરીકે અપરિમિત અર્થો અને નિપાતો એ મિશ્રવચનમાં પણ નશબ્દ પ્રયોજન છે. એમાં કાંઈ વાંધો નથી. અથવા નોશબ્દ દેશવચન પણ હોય છે. એમાં કોઈ દોષ નથી-જેમકે પરિપૂર્ણ ઘટાદિ જેમ જ્ઞાન-દર્શન-ચારિત્રનો અખંડ-અવિશેષિત અને સંમિશ્રઉપયોગ ઘટાદિના ગ્રીવાદિ જેમ શ્રત એક દેશ છે. એટલે નોઆગમથી ભાવકૃત વિચારતાં નોશબ્દ દેશમાં પણ ઘટે છે. જેમ સામાન્યથી પરિપૂર્ણ ઘટાદિનો એકદેશ ગ્રીવાદિ નોઘટ કહેવાય છે. તેમ સામાન્યથી પરિપૂર્ણ ઘટાદિ નો એક દેશ ગ્રીવાદિ નોઘટ કહેવાય છે. તેમ સામાન્યભેદ-જ્ઞાન-ક્રિયાના પરિણામરૂપ અખંડવસ્તુનું શ્રત એક દેશ છે. એટલે જ્ઞાન-ક્રિયા-પરિણામ નોઆગમથી ભાવઠુત છે. મતાંતર કેટલાક આચાર્યો શબ્દસહાય મૃતોપયોગને નોઆગમથી ભાવકૃત માને છે, અભિપ્રાયઃ મૃતોપયોગપૂર્વક બોલનારનો જે મૃતોપયોગ સહિત શબ્દ તે નોઆગમથી ભાવઠુત છે ત્યાં ઉપયોગ-શબ્દસમુદાયમાં ઉપયોગરૂપ આગમ એક દેશ છે. અને શબ્દનિરપેક્ષ ઉપયોગ માત્ર આગમથી ભાવશ્રુત છે. માટે, શબ્દસહિત કૃતોપયોગ તે નોઆગમથી ભાવકૃત છે. આચાર્યોની આ વાત બરાબર નથી. અહીં, પ્રગટ શ્રતોપયોગ એ ભાવાગમ છે, શબ્દ દ્રવ્યાગમ છે. એટલે સુતરાં આગમત્વ જ ઘટે છે. નો આગમથી શ્રુત ઘટતું નથી. જો ફક્ત મૃતોપયોગ પણ આગમ કહેવાય તો બીજા શબ્દરૂપ દ્રવ્ય આગમ મળતાં સુતરાં એ આગમ જ ઘટે, નોઆગમ નહિ. કારણ કે નોઆગમ તો અનાગમ સમુદાયમાં જ ઘટે છે. પ્રશ્ન-૫૮૭ – શબ્દ આગમ નથી તેથી ઉપયોગની અનાગમરૂપશબ્દ કરતાં અધિક હોવાથી નોઆગમતા છે. આગમ-અનાગમ સમુદાયમાં આગમનો એક દેશ હોવાથી નોઆગમ છે એવો અમારો અભિપ્રાય છે. ઉત્તર-૫૮૭ – જો એ શબ્દ આગમ ન હોય તો આગમથી દ્રવ્યશ્રત એ કઈ રીતે થાય? અનાગમ હોવાથી શબ્દ આગમના ભેદમાં પ્રસિદ્ધ છતાં પણ તે આગમથી દ્રવ્ય શ્રુત ન થાય. તેથી દ્રવ્યથી એ આગમથી જ છે. એટલે દ્રવ્યાગમ સહિત ભાવાગમ આગમથી જ ભાવશ્રુત ગણાય છે નોઆગમથી નહિ. બીજો મતાંતર કેટલાક આચાર્યો સ્વામિને આશ્રિત શ્રતોપયોગને ભાવકૃત કહે છે. અને તે જ સ્વામીને આશ્રિત ન હોય તો નોઆગમથી ભાવશ્રુત કહે છે. એ વાત એકદમ પોકળ છે. જોકે અનુપયુક્ત વક્તા વિષયક શ્રુત ભાવશ્રુત કહ્યું નથી પણ, વિશિષ્ટ તે સ્વામિ વિષયક દ્રવ્યશ્રત જ કહ્યું છે. તો સુતરાં અનાશ્રિત શ્રુત ભાવકૃત
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy