SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૦૭ થાય છે. તેમજ પ્રત્યેક દરેક અક્ષરોના પણ અકારાદિવર્ણો હોવાથી ઉપલક્ષણથી ભિન્ન છતાં ઘટાદીનાં પણ હોય છે. સૂત્રમાં પણ કહ્યું છે કે જે પ નાડુ (કાવારી ખૂ. ૨૨૨) જો સર્વ વસ્તુનું જ્ઞાન થયું હોય તો જ એક વસ્તુનું સંપૂર્ણજ્ઞાન થાય અને જે સર્વપર્યાય સહિત એક વસ્તુને જાણે છે તે જ સર્વવસ્તુને પણ સર્વપર્યાય સહિત જાણે છે, કારણ કે, એક વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન થયું હોય તો જ સર્વ વસ્તુનું જ્ઞાન થાય એટલે સર્વપર્યાય યુક્ત વસ્તુને જાણતો વ્યક્તિ અકાર રૂપ અક્ષરને સર્વપ્રકારે સર્વપર્યાયોથી યુક્ત જાણતો નથી તેથી શેષ સમસ્તવસ્તુના પરિજ્ઞાનોથી જ એક અક્ષર જણાય છે. પ્રશ્ન-૪૩૯ – જો એમ હોય તો પણ પ્રસ્તુતમાં ઘટાદિપર્યાયો અક્ષરના પર્યાયો છે એમાં શું નિષ્કર્ષ થયો? ઉત્તર-૪૩૯- તેથી જે ઘટાદિપર્યાયો અજ્ઞાત છતે જો પ્રસ્તુત એક અક્ષર જાણતો નથી અને જ્ઞાત છતે જણાય છે તે ઘટાદિ પરપર્યાયો તેના ધર્મો જ છે. જેમકે ઘટના રૂપાદિ ધર્મોપ્રયોગ-વેષામનુપલ્લવ્ય યત્ નો પતગતે, ૩૫ર્ચો વોત્તમ્ય, તસ્ય તે ધર્મા પવ, યથા ઘટી रुपादयः, नोपलभ्यते च प्रस्तुतमेकमक्षरं समस्तघटादिपर्यायाणामनुपलब्धौ, लभ्यते च तदुपलब्धौ, રૂતિ તે તસ્ય ધમ: અહીં અક્ષર વિચારાનો પ્રસ્તુત છે. એટલા માત્રથી જ તે સર્વદ્રવ્યપર્યાયરાશિ પ્રમાણ સાબિત થયો, એટલું જ નહિ જોવું, પરંતુ વત્ વિમfપ વસ્તુ તિ, तत्सर्वमित्थंभूतमेव । પ્રશ્ન-૪૪૦ – જો એમ હોય તો કેમ અક્ષરને જ અંગીકાર કરી આ પર્યાયમાન કર્યું છે? ઉત્તર-૪૪૦ – અહીં અક્ષરનો અધિકાર પ્રસ્તુત છે. એટલે તેનું જ આ પર્યાયમાન કહ્યું છે અને સર્વવસ્તુ એમ જ ઉપલબ્ધ થાય છે. પ્રશ્ન-૪૪૧ - ભલે એમ થાય, પરંતુ પ્રસ્તુત અક્ષરના ક્યા સ્વપર્યાયો છે અને ક્યા પરપર્યાયો છે તે બતાવો? ઉત્તર-૪૪૧ - સામાન્યથી તે અકારાદિઅક્ષરના સ્વપર્યાયતયા વિષયથી અભિલાપ્ય પર્યાયો એમ વિચારાય કે તે સર્વ અભિલાખાનભિલાખ પર્યાયોના કેટલાયે ભાગે હોય છે. અર્થાત્ અભિલાખ સર્વ વસ્તુ અક્ષરથી કહેવાય છે. એટલે તેને કહેવાની શક્તિરૂપ તેના અભિલાપ-પ્રજ્ઞાપનીય સ્વપર્યાયો કહેવાય છે બીજા અનભિલાખ-પરપર્યાયો કહેવાય છે. એટલે એ અભિલાપ્ય સ્વપર્યાયો સર્વપર્યાયોનો કેટલામો ભાગ થાય છે એમ વિચારાય છે. પ્રશ્ન-૪૪૨ – તે કઈ રીતે?
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy