SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૭૭ આ રીતે ૩,૪,૫ સમયોમાં ભજના થઈ એનાથી મયા સેતુ સમસ્તુ એ વ્યાખ્યાન થયું આ મહાપ્રયત્નવાળા વક્તા દ્વારા છોડેલા દ્રવ્યની અપેક્ષાએ જ કહ્યું છે. મંદપ્રયત્નવાળા વક્તાએ છોડેલા તો લોકના અસંખ્ય ભાગમાં જ હોય છે. દંડાદિક્રમથી તેમનો લોકાયુક્ત અસંભવ છે. ત્રણ આદિ સમયે ભાષાથી પૂરાયેલા લોકમાં તે સમયોનો જ ચરમ સમય છે. તે ત્યાં લોકનો ચરમ અંત છે અને ભાષાનો ચરમ અંત હોય છે, આ સમયોના ચરમસમયે લોક પૂરો થતાં ભાષા પણ પૂરી થાય છે. અલોકમાં જતી નથી. કારણ કે જીવ-પુદ્ગલોની ત્યાં ગતિ જ હોતી નથી. અહીં વિવક્ષાથી આદિ પણ અંત થાય છે તેના વ્યવચ્છેદ માટે ચરમનું ગ્રહણ કર્યું છે. પ્રશ્ન-૩૭૮ – કેવલીસમુદ્યામાં ઉપર-નીચે એ બે દિશામાં જનારો જ પ્રથમ સમયે દંડ થાય છે તે જો ભાષાદ્રવ્યોમાં પણ એમ જ માનો તો તે બે દિશામાં જ મિશ્રશબ્દશ્રવણ થાય, પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ ઉત્તરદિશામાં ન થાય કારણ કે તેમાં વિદિશાઓની જેમ વક્તાએ મૂકેલા દ્રવ્યો ન જવાથી પરાઘાતવાસિત તે દ્રવ્યોનું જ શ્રવણ છે? ઉત્તર-૩૭૮ – સામાન્યથી માસામસેઢીસો-ગા.૩૫૧ દ્વારા દિશાઓમાં મિશ્રશબ્દશ્રવણ કહ્યું છે. અથવા વ્યાખ્યાનથી વિશેષ જાણકારી પ્રાપ્ત થાય છે જો તમને માન્ય હોય તોઉપરનીચેની બે દિશામાં રહેલ દંડોમાં જ મિશ્રશબ્દ શ્રવણ છે શેષ દિશાઓમાં પારાવાતવાસિત દ્રવ્યશ્રવણમાં પણ દોષ નથી. પ્રશ્ન-૩૭૯ - ભલે એમ હોય, તો પણ લોક ત્રણ સમયે પૂરાય છે ચાર સમયે નહિ કારણ કે ભાષાદ્રવ્યોમાં પરાઘાત છે, તેમાં જો પરાઘાત છે તેથી શું? ઉત્તર-૩૭૯ - ખરેખર તે દંડ ઉપર-નીચે જતો સામાન્યથી ચારે દિશામાં પણ શબ્દપ્રાયોગ્યદ્રવ્યો ગ્રહણ કરે છે, પરાઘાત કરે છે. અને તે દ્રવ્યોને વાસિત કરી શબ્દપરિમાણવાળા કરે છે, તેથી તેઓ બીજા સમયે મંથન બનાવે છે, ત્રીજા સમયે તેના અંતરાલ પૂરણથી લોક પૂરાય છે. આમ, ત્રણ સમયે લોક પૂરાય છે. પ્રશ્ન-૩૮૦ – જેમ કેવલિસમુઘાત ચાર સમયે લોકને પૂરે છે તેમ ભાષા પણ તે રીતે લોકને પૂરશે શું દોષ છે? ઉત્તર-૩૮૦ – આ સમુદ્ધાતમાં જીવપ્રદેશો સ્વરૂપથી જે લોકને પૂરે છે ત્યાં કોઈનો પરાઘાત નથી. તેથી બીજા સમયે મંથન થતો નથી પણ કપાટ જ થાય છે અને બીજું આ ભાગ-૧/૧૩
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy