SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૦૯ આ રીતે ઉક્તયુક્તિથી સિદ્ધ થયેલું પુદ્ગલમય દ્રવ્યમન મત્તુનો સ્વયં અનુગ્રહ ઉપઘાત કરે, શેયકૃત તે બંને તો મનના નથી જ એટલે મન અ પ્રાપ્યકારી નથી. પ્રશ્ન-૨૧૦ · ભલે જાગૃતાવસ્થામાં મનને વિષયપ્રાપ્તિ ન થાય પણ સ્વાપાવસ્થામાં તો એ થાય. એ વાત અનુભવ સિદ્ધ છે. જેમકે-‘ક્યાંક મેરુશિખરાદિ પર રહેલા મંદિર વગેરેમાં મારૂં મન ગયું' એવું સુતેલાઓ સ્વપ્રમાં અનુભવે જ છે. તથા ‘તંતુ ને મળો સંપન્નૂફ નાઓ વિિમળે વા' | ગા.૨૧૩ IIમાં એવું મેં પહેલાં જ કહેલું છે. એટલે મન પ્રાપ્યકારી થયું ને ? ઉત્તર-૨૧૦ – ‘મારૂં મન અમુક ઠેકાણે ગયું' એવો જે સુતેલા સ્વપ્ર જુવે છે તે પ્રાપ્ત ન થાય તેવું જ હોય છે' સ્વપ્રમાં મેળવેલો લાડુ તેવા પરમાચાર્યો ની જેમ પ્રતિપક્ષો એ સત્ય ન જ માનવો ? એમ કરવામાં વ્યાભિચાર આવે છે. પ્રશ્ન-૨૧૧ – શેની જેમ સત્ય ન માનવું ? ઉત્તર-૨૧૧ અલાત ચક્રની જેમ તે ગોળ હોવાથી જલ્દી ભમતું એવું ભ્રાન્તિ વશ અચક્ર પણ ચક્રની જેમ લાગતું જેમ સત્ય નથી તેમ અચક્રરૂપથી જ ત્યાં સત્ય છે. ભ્રમણ પુરું થતાં તે સ્વાભાવિક જ લાગે છે. એમ સ્વપ્ર પણ સત્ય નથી તેથી ઉપલબ્ધ મનના મેરૂગમનાદિક અર્થ અસત્ય છે. તે અસત્ય હોવાથી સ્વપ્રનાશે તેઅર્થનો અભાવ હોયછે. અને જાગ્યા પછી વ્યક્તિને તેનાં અભાવને તે અવસ્થામાં શરીરમાં રહેલું મન જ અનુભવ કરે છે. પ્રશ્ન-૨૧૨ - • સ્વપ્રાવસ્થામાં મેરૂ આદિ ઉપર જઇને તે મન જાગૃતાવસ્થામાં નિવૃત્ત થશે એટલે તમે જે ‘વ્યાભિચારાત્' હેતુ આપેલો છે તે જ અસિદ્ધ છે. - ઉત્તર-૨૧૨ – મેં વ્યાભિચાર તરીકે જે હેતુ કહ્યો છે તે આ પ્રમાણે સિદ્ધ છે. વિભક્તિ વ્યત્યય થી અર્થાત્ સ્વદર્શનથી સ્વ-આત્માનું મેરુ આદિ માં રહેલ જિનગૃહાદિ ગતનું દર્શન સ્વદર્શન તસ્માત્ જેમકે ક્યારેક કોઇ પોતાનું મન સ્વપ્રમાં મેરૂ આદિમાં ગયેલું જોવે છે. તથા કોઈ શ૨ી૨ને આત્માને પણ નંદનતરૂના કુસુમાવચયાદિ કરતું ત્યાં ગયેલું જોવે છે. તે તેવું હોતું નથી. અહીં રહેલાઓ તે સુતેલાને અહીં જ જોવે છે. અને બે આત્માનો તો સંભવ નથી જ, કુસુમ પિરમલાદિ માર્ગ જનિત પરિશ્રમાદિ અનુગ્રહ-ઉપઘાત ત્યાં હોતા નથી. આ જગતમાં સુતેલો કોઈ પોતાના શરીરને અન્યત્ર નંદનવનાદિમાં ગયેલું સ્વપ્રમાં જુએ છે, પણ એ શરીર નંદનવનાદિમાં સંગત થતું નથી. કારણકે, અહીં રહેલા તેને અહીં જ જોવે છે. એટલે જાગેલાને ત્યાં રહેલા અનુગ્રહ ઉપઘાત રૂપ કુસુમપરિમલ-માર્ગશ્રમાદિક
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy