________________
२९६
શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર (ર૧૦૦ શ્લોક પ્રમાણ) શ્રી શીલાંકાચાર્ય કૃત ટીકા - ૧૨૮૫૦ શ્લોક પ્રમાણ
--------------------
આ સૂત્રકૃતાંગ સૂત્રમાં જગતના પદર્શન તથા વિવિધ દર્શનોની અપૂર્ણતા જણાવી સ્યાદ્વાદ સિદ્ધાંતની સ્થાપના કરી છે. સાધુના આચારોનું, નરકનાં દુઃખોનું વર્ણન છે. આ આગમના અધ્યયનથી દ્રઢ શ્રદ્ધાવાળા થવાય છે. ૩૬૫ પાખંડીઓ ભગવાનના સમવસરણમાં બેસે છે તેવું આપણે સાંભળીએ છીએ. એ પાખંડીઓના મતને આ આગમમાં વિસ્તારથી વર્ણવીને તે મિથ્યામત કેવી રીતે ખોટો છે તે સ્પષ્ટ દર્શાવ્યું છે.
– પ્રથમ શ્રુતસ્કંધ 3 અધ્યયન-૧, સમય, ઉદ્દેશ-૪
• આત્મા દૈતવાદ, દેહાત્મવાદ, અકારકવાદ, આત્મષષ્ઠવાદ, અકૂલવાદનું વર્ણન. • વાદીઓના નિષ્ફળ જીવનની વાતો. • નિયતિવાદ, અજ્ઞાનવાદ, જ્ઞાનવાદ અને ક્રિયાવાદની વાતો. • આધાકર્મ આહારનો નિષેધ, મુનિપણાના આચારની સમજણ.
જગત્કર્તુત્વવાદ, ઐરાશિકવાદ, અનુષ્ઠાનવાદનું વર્ણન. • અહિંસા, કષાયજય, પાંચ સમિતિ, પાંચ સંવરની વાતો અધ્યયન-૨, વૈતાલીય, ઉદ્દેશ-૩
• માનવભવની દુર્લભતા, આયુષ્યની અનિત્યતા, મોહવિજયની વાતો. • નિંદા, પરિગ્રહ, મદ તથા મમત્વનો નિષેધ.
• સંવર-નિર્જરાથી મુક્તિ, ભગવાન અને અનુયાયીઓની સમાન પ્રરૂપણા. અધ્યયન-૩, ઉપસર્ગ, ઉદ્દેશ-૪
• પ્રતિકૂળ ઉપસર્ગ, પરવાદિ વચનોની વાતો તથા યથાવસ્થિત અર્થપ્રરૂપણાની વાતો. અધ્યયન-૪, સ્ત્રીપરિજ્ઞા, ઉદ્દેશ-૨
• અધ્યયનમાં સ્ત્રી પરિષદનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.