SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ આ “સુરા' શબ્દનો સમાસ આ પ્રમાણે થાય કે : = સુખું એટલે કે શોભન = સુંદર છે એટલે કે અર્થ = પ્રયોજન જેનું તે સુરા અર્થાત્ જેનું લક્ષ્ય કાયમ માટે “મારું ભવિષ્યમાં કેવી રીતે હિત થાય એવી જ પ્રવૃત્તિ હું કરું આવું જ રહ્યું છે, તે “સુરા' કહેવાય. અત્યાર સુધીના પૂર્વાર્ધનો અર્થ આ પ્રમાણે થયો કે : હે સુરા = ભલા માણસ! જો યતિતાડલવસપ્તમસુરવિમાનવાસી = અનુતર દેવો પણ જો પડી જાય છે તો પછી વિચારાતી સંસારમાં (ની) બાકીની બધી વસ્તુ જે ખરેખર અસાર છે તે “તર” એટલે કે =િ શું નિત્ય થાય? અર્થાત્ કોઈ પણ સંસારની વસ્તુ નિત્ય નહિ થાય. (કેમકે જીવનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમથી વધુ નથી અને આ ઉત્કૃષ્ટ આયુષ્ય અનુત્તરદેવોને આશ્રયીને છે (સાતમી નરકનું હોવા છતાંય એ અશુભ હોવાને લીધે પ્રસ્તુત અર્થની સાથે ગોઠવાશે નહિં માટે અને એ આયુષ્યવાળો નરકનો જીવ બધી રીતે અસમર્થ હોવાથી એનો ઉલ્લેખ કર્યો નથી.) અને અનુત્તર દેવો સૌથી વિશિષ્ટ શક્તિવાળા દેવો છે, એઓ ધારે એ કરી શકે છતાં તેઓ પણ જો પોતાની જાતને ત્યાં ટકાવી નથી શકતાં તો પછી બાકીની કઈ સંસારની અલ્પસામર્થ્યવાળી વસ્તુ નિત્ય હોઈ શકે?) આ પ્રમાણે આનો ભાવાર્થ છે. (પ્રશ્ન ઃ તમે સંસારની બાકીની તમામ વસ્તુઓને અસાર કેમ કહી?) ઉત્તરઃ અનુત્તર દેવોની અપેક્ષાએ સંસારની બાકીની તમામ વસ્તુઓ રૂ૫, સામર્થ્ય, સ્થિતિ વિગેરેને આશ્રયીને અસાર છે, તુચ્છ છે માટે અમે બધાને અસાર તરીકે કહેલ છે. ૨૮ || વિશેષાર્થ (૧) “પપ્પા' આ વ્યાકરણ સૂત્ર છે અને પ્રસ્તુતમાં બિનજરૂરી હોવાથી એનો અર્થ ર્યો નથી. (૨) વિશેષUIન્યથાનુપત્તિ' એ એક અર્થપત્તિ પ્રમાણની અંતર્ગત ન્યાય છે. જેનો ઉપયોગ એવા સ્થળે કરવામાં આવે છે કેઃ જ્યારે વિશેષ વાચક પદનો ઉલ્લેખ ક્યાંય કરવામાં આવ્યો ન હોય અને માત્ર વિશેષણ આપેલ હોય, તો ત્યાં ટીકાકાર વિગેરે દ્વારા જે વિશેષ્ય મૂકાયેલ હોય તે બરાબર છે કે નહીં? એ આ વિશેષણ-અન્યથાનુપપત્તિ ન્યાય દ્વારા નક્કી કરવામાં આવે છે. દા.ત. સમવસરાત્રિદ્ધિમાન્' આટલો જ સૂત્રમાં ઉલ્લેખ કર્યો હોય અને ટીકાકારશ્રી ટીકામાં તીર્થર:” આ પ્રમાણે વિશેષ્ય લખે તો ત્યાં એમનો આ ઉલ્લેખ આ વિશેષણા થાનુપપત્તિ દ્વારા સિદ્ધ થઈ જાય કેમકે સમવસરણ વિગેરે ઋદ્ધિવાળા તીર્થંકર સિવાય કોણ હોઈ શકે? માટે તેવી ઋદ્ધિવાળા તરીકે તીર્થકરનો ઉલ્લેખ જે ટીકાકારશ્રીએ કર્યો છે તે બરાબર છે. (વિશેષણા થાનુપપત્તિ = વિશેષણનું અન્ય પ્રકારે ન ઘટવું.) (આમ મૂળ ન્યાય તરીકે માત્ર અન્યથાનુપપત્તિ છે છતાં અહીં પ્રસ્તુતમાં વિશેષણા થાનુપપત્તિની વાત હોવાથી એ પ્રમાણે ખોલેલ છે.). (૩) આ “તિતાડનવસતિમાકુર'માં જો દૃષ્ટાંત તરીકે કોઈ લેવા હોય તો તેમાં “શાલિભદ્ર મુનિ' આવી શકશે એવું લાગે છે કેમકે એમને જો આટલું આયુષ્ય વધુ મળ્યું હોત તો કદાચ પશ્ચાત્તાપ દ્વારા એ
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy