SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૭૯ પદાર્થો જ છે. પહેલાં જ્ઞાન અને પછી ક્રિયા. પણ ક્રિયાઓનું મહત્ત્વ માત્ર એ નિમિત્ત પૂરતું આંકે છે. આથી એના સાહિત્યમાં વિપુલતા છે, વિસ્તૃતતા છે. વિજ્ઞાન, મનેાવિજ્ઞાન, પ્રાણુવિદ્યા, ચેાગ, સાહિત્ય, કળા અને ઇતર વ્યવહારાપયોગી પણ અનેક વિષયેા છે પણ એનું લક્ષ્ય આત્મવિકાસ સાધવા પુરતું જ છે. અને એ જગતને જાણવાથી આત્મા જણાય છે એમ ન માનતાં, આત્માને જાણવાથી જગતને જાણી શકાય છે એમ માને છે. એ જગતના પદાર્થાને જાણે છે, વેઠે છે. છતાં એનું લક્ષ્ય તેા એમાંય આત્માભિમુખ જ રહે છે. જે સાધતા આત્મવલણને સાધક ન ખનતાં હાય એને એ સાહિત્યિક શાસ્ત્ર ન માનતાં શસ્ત્ર જ સમજે છે. લાકવણું ન જીવ અને અજીવ મુખ્ય તે। એ એ પદાર્થા જ હાવા છતાં જગતમાં જે કંઈ પિરિમિતિ, ગતિ અને વ્યવસ્થિતિ દેખાય છે એને માટે એ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામનાં એ તત્ત્વા માટે છે. ધર્માસ્તિકાય એ જગતનાં ગતિમાન પદાર્થાનું સહાયક છે અને અધર્માસ્તિકાય જગતના સ્થિતિમાન પદાર્થોનું સહાયક છે. આ સિવાય પ્રત્યેક પદાર્થોના જેમાં અવકાશ મળે છે તેને આકાશતત્ત્વ માને છે. આકાશના લેાકાકાશ અને અલેાકાકાશ એવા બે ભેદા છે. તે સિવાય કાળ નામનું એક સ્વતંત્ર તત્ત્વ છે, કે જે પદાર્થોં પર થતાં પરિણામ અને વનનું પૃથહ્ત્વ સૂચવે છે. ઉપયેગ એ જ જીવનનું લક્ષ્ય હાઈ જીવ સિવાયનાં આ ખીજાં તત્ત્વોને અજીવમાં સમાવેશ થાય છે. આ બધાં ખાદ્ય ગુણ છે. બધાં જીવામાં સામાન્ય રીતે ઉપચેાગ, અદ્ભૂત્વ, કર્તૃત્વ, ભાકતૃત્વ, દેહપરિમાણ અને ક્ષાયિક ક્ષયાપશમ, ઉપશમ, ઔયિક અને પરિણામઆદિ ગુણા છે, જે ભાવા કહેવાય છે. આ રીતે એનું સંક્ષિપ્ત લેાકવણુંન છે, ૧. આની વધુ સમજ માટે નુ ઉત્તરાધ્યયન સૂત્રના અનુવાદ,
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy