SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્ર યો અને એનાં અઢાર અંગે તેમજ કમેં બધાં અદઢ અને વિનાશશીલ છે. જે મૂઢજનો એ સર્વને શ્રેય માને છે તેઓ ફરી ફરીને જશ અને મૃત્યુના ફેરામાં પડે છે. જુઓ, જિનવાણ પૃષ્ઠ – ૭ પણ એ નિષેધ છું અને વેદમતાન્તગત હતા એમ કહી દેવું જરૂરનું છે. દશનેને પ્રારંભ અને તેની પ્રણાલિકા એ બાદ દર્શનેનો વિકાસ થાય છે. દર્શનને જન્મ ચાર્વાક મુનિના યુક્તિવાદે આપ્યો છે એવો ઘણા વિદ્વાનને અભિપ્રાય છે અને એ સપ્રમાણ અને સપ્રતીત છે. કાળની દષ્ટિએ પુરાતત્ત્વવિદો એમ કહે છે કે દર્શનને પ્રારંભ ઈ. પૂર્વેની પ્રથમ સદીથી થયો છે. અને એમાં સાંખ્યના કપિલ સૈથી પહેલા છે. પદર્શનોનો ક્રમ વિવિધ રીતે મળે છે, એની વિચારણા કરીએ – ઉદ્દે ઈતિહાસમાં મેં જોયું છે કે સાંખ્ય યોગ, નૈયાયિક વૈશેષિક, પુર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા આ છએ દર્શને વેદધર્મજનિત હાઈ વેદાંતવારિધિને મળનારી છ વિવિધ મધુર નિર્ઝરણુઓ રૂપે એને ગણુએ તે ખોટું નથી. એ એના પ્રણેતા ક્રમશઃ કપિલ, પતંજલિ, ગૌતમ અક્ષપાદ (ન્યાયદર્શનમાં પ્રાચીન અને નવીન એવા બે મત છે. પ્રાચીન ન્યાયદર્શનના પ્રણેતા મુનિ ગૌતમ અને નવીન ન્યાયના પ્રણેતા અક્ષપાદ ગણાય છે) કણાદ, જૈમિનિ તથા બાદરાયણ. આ ક્રમમાં જેન કે બૌદ્ધનો સમાવેશ નથી. એના વિદ્વાનો બે કારણે કલ્પ છે. એક તો ઉપરના બધા દર્શનોમાં ઈશ્વરકતૃત્વ કે ઈશ્વરપ્રેરકતાનું તત્ત્વ છે. એ તત્ત્વ જૈન દર્શનકે બૌદ્ધ દર્શનમાં નથી. એટલે એનો સંગ્રહ ન હોય. બીજું કારણ ૪ શ્રી ધર્માનન્દ કોસાંબીજી સાંખ્યદર્શનને કપિલ મુનિને જનકના પૂર્વે જ માની બુદ્ધદેવની બે સદી પહેલા થયા છે એમ માને છે. આ બધામાં એટલું તો તત્ત્વ છે જ કે દર્શનક્રમમાં સાંખ્ય દર્શનનો ફાળો અમોઘ છે અને તે સૌથી પ્રથમ છે, તેમ કહ્યા વગર રહી શકાય નહિ.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy