________________
* આ અનુવાદ આપણી ધર્મબાધક રૂઢિગત પ્રણાલિકાનું ભંજન
કરી સાચું અને નિર્મળ જૈનત્વ લાવવામાં ઉરના અભિલાષ ઉપયોગી થાય; તથા એવો પ્રયત્ન કરતા સાધકને
યતકિચિત પણ આશ્વાસનદાયક નીવડે; અને વિશિષ્ટ અભ્યાસી સાધકોને પ્રોત્સાહન આપી શકે; તેય હું મારે પ્રયત્ન સાર્થક લેખીશ. માત્ર એટલું જ કે જેવી રીતે શ્રી આચારાંગનું વાચન અનેક કોલાહલે વચ્ચે મારામાં શાંતિનો સંચાર કરે છે, તેવી રીતે સૌને તે ઈષ્ટ થાઓ એ જ શુભેચ્છા. ૩% iાંતિઃ કાંદાવાડી ઉપાશ્રયસ્થાન ]
સંતબાલ”
ટ