SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ આચારાંગસૂત્ર તા મૌન ધારણ કરી ઉચ્ચ ભાવનાની અભિમુખ રહે. પરંતુ તેવા ભયથી ડરીને દૂષિત આહાર ન લે. મુનિ સાધક પ્રત્યેક ક્રિયામાં પૂર્ણ સાવધાન રહે એમ જ્ઞાની પુરુષાએ પુનઃ પુનઃ કહ્યું છે. તેને આ નોંધઃ આ સૂત્રમાંથી મૂળ નિયમે પર પ્રાણાંત ટકી રહેવાની અડગતા અને કાઈને લેશ પણ ભારભૂત ન થાય એવી સાધુતા સ્પષ્ટ દેખાઈ રહે છે.' કાઈ ભક્તનુ મન રાખવા ખાતર નિયમેમાં શિથિલ થવું એમાં વૃત્તિની દૂષિતતા છે. અને દાતા કુપિત થયા છે કે થશે તેવા ભયથી કાપ શમાવવા માટે નિયમેાને ઢીલા કરવા તેમાં વૃત્તિની નિળતા છે. અને દશા પવિત્ર અને પૂર્ણ નિર્ભીક એવા ત્યાગી વનને સંગત નથી. આ સૂત્ર પરથી મીજી વાત એ ફલિત થાય છે કે જે અન્ન પવિત્ર અને સ’ચમજન્ય હોય તે અન્નની અસર સાંચમી જીવનને વધુ સુંદર સહાયક બને છે. એટલે તેવી ભિક્ષા મેળવવા માટે પ્રયાસ કરવા ચિત છે. પેાતાને માટે બનાવેલું અન્ન અનેક દૃષ્ટિએ ત્યાગી માટે ગ્રહણ કરવું દૂષિત હાઈ ત્યાજય છે. ત્યાચ એટલા માટે છે કે તે અન્ન સંચમજન્મ ન ગણાય, અને જે અન્ન સંચમજન્ય ન હેાચ તેને બદલેા આપવે જ રહ્યો. તાજ તે ગ્રહણ થઈ શકે. જગતની કાઇ પણ વસ્તુ પર જેને માલિકી હક નથી એવે! ત્યાગી બદલાશે। આપી શકે ? જેનું કાઇ ક્રિયા પરમત્વ નથી ત્યાં હું આટલું કરું છું એ ભાવના પણ કચાંથી હેાય ? ત્યાગી જગતને! પરમઉપકારી અને આદર્શ હેાવા છતાં હું જગતને આપું છું એવું એના મનમાંય ન હેાય. એ તે એની સહજ ક્રિયા હોય. આથી જ જેના પર પાતાપણું સ્થાપિત થયું હેાય તેવું કાઈ પણ સાધન અન્ન લેવું એ ત્યાગી માટે યોગ્ય નથી. પણ જે ગૃહસ્થ પેાતે પેાતાની જરૂરિયાતમાં સચમ કરી મુનિને આપે તે જ સાધન ગ્રહણ કરવું ત્યાગી માટે ચાગ્ય છે. કારણકે તે અન્ન પર સાધુના વ્યક્તિત્વનું આરોપણ નથી, અને તેમાં સંચમનાં જ આંદોલને વસ્યાં છે. આ વાત ખૂબ ઊંડાણી મનનીય છે. આ સૂત્ર ત્યાગીની સ્વાભાવિક્તાને આદર્શ સ્પષ્ટ કરે છે, એટલું જ નહિ પણ ભક્ત કેવી ભક્તિ કરે અને ભક્તિના ઉપયાગ મુનિ પણ ક્રિયા પ્રમાણમાં કરે, તેનુ ંચે અહીં આબેહૂબ ચિત્ર દેખાય છે. [૫] સમનેાન સાધુ આદરપૂર્વક અસમનેાન સાધુને આહાર કે વસ્ત્રાદિ ન આપે, તથા નિમત્રણ ન આપે, કે ચાકરી પણ ન કરે, એમ હું કહું છું.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy