SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્ર જ નથી. શુદ્ધ ચૈતન્ય કલ્પનાથી પર છે, એવે નોંધઃ—એ સ્થિતિ શબ્દવેધ નથી, અનુભવવેદ્ય છે. પાણીને એ વિષય મુક્ત દશાને જે આનંદ ભાગવે છે, તે આનંદ આ સૂત્રમાં ભાવ છે. ૨૧૬ [૧૦] આસન્નમાક્ષ શિષ્ય ! એ મુક્ત જીવ લાંખેા નથી, ટૂં કા નથી, ગાળ નથી, ત્રિકાણુ નથી, ચેારસ નથી, મડળાકાર નથી, કાળા નથી, લીલેા નથી, રાતા નથી, પીળેા નથી, ધાળેા નથી, સુંગધી નથી, દુર્ગંધી નથી, તીખા નથી, હળવા નથી, કસાયેલા નથી, ખાટા નથી, મીઠા નથી, કશ નથી, સુકુમાર નથી, ભારી નથી, હલકા નથી, ઠંડા નથી, ગરમ નથી, ચીકણા નથી, લૂખા નથી, શરીરવાળા નથી, જન્મ ધારણ કરનાર નથી, આસક્તિવાળા નથી, સ્ત્રીરૂપ નથી, પુરુષરૂપ નથી, નપુંસકરૂપ નથી, પણ જ્ઞાતા અને રિજ્ઞાતારૂપે નિજ સ્થિતિમાં વિરાજે છે. નોંધ:—વ, ગંધ, રસ, સ્પર્શ, આકાર કે તેવું કશું નથી. અર્થાત્ કે જિહવાદ્વારા કહેવાનાં જે કંઇ સાધના જોઈએ તે શાંયે ત્યાં નથી. તે શુદ્ધ ચૈતન્ય ન્યાતિરૂપ અને માત્ર જ્ઞાનમય બની નિન્તન રૃમાં મસ્ત રહે છે. તે કેવળ અનુભવગમ્ય છે. [૧૧] ગુરુદેવ ! ત્યારે એ સ્વરૂપને કાઈ ઉપમાદ્વારા સમજાવવા કૃપા કરો. પ્રિય જંખ્ ! કર્મ મુક્ત ચૈતનનું સ્વરૂપ સમજાવવા માટે આ આખા સંસારમાં કાઈ તેવી ઉપમાયે નથી, કારણ કે તે પોતે અરૂપી સ્થિતિમાં છે અને તેને કશી અવસ્થા છે જ નહિ. આથી જ તેનું સ્વરૂપ વર્ણવવા માટે કાઈ પણ શબ્દની શકિત કે ગતિ છે જ નહિ. એમ તા મે' પહેલાં જ કહ્યું. નોંધ:—હમેશાં રૂપની જ ઉપમા આપી શકાય. વળી ત ્રૂપ પ્રત્યક્ષ દેખાય તેવા એનાથી ભિન્ન ખીજો કોઈ પણ પદાર્થ જ નથી, ત્યાં ઉપમા શી રીતે લાવી શકાય ? સ્વાતિની ઉપમા સ્વાતિથી જ અપાય. સારાંશ કે ચૈતન્યની ઉપમા ચૈતન્યથી જ અપાય, એટલે એ અજોડ છે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy