SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર ખીલવવાના ઉપાય ૧૫૭ [૧૦] આવા આસક્તિથી રહિત ત્યાગી પુરુષા, સાચા સાધક છે એમ નિશ્ચય રૂપ જાણીને અહેા સાધંક્રા! તમે દિવ્ય દૃષ્ટિવંત બને અને એ વીરના માર્ગીમાં અભિનિષ્ક્રમણ કા; કારણ કે અપરિગ્રહી અને દિવ્ય દષ્ટિવાળા સાધકાને જ ભ્રહ્મ—આત્મ—પ્રાપ્તિ થઈ શકે છે. જે સ્થિતિ નોંધ-બ્રહ્મપ્રાપ્તિ, આત્મપ્રાપ્તિ, મુક્તિ કે નિર્વાણ પ્રાપ્ત કરવાનુ જીવમાત્રનુ ધ્યેય છે, તે ઉપરના માર્ગે જ મળી શકે છે. પણ તે બધું બહાર નથી, અંદર છે. એમ સમાવવા માટે હવે આવતા સૂત્રમાં સૂત્રકાર કથે છે કેઃ— 66 [૧૧] અહે। જંબૂ ! મેં સાંભળ્યું પણ છે અને અનુભવ્યું પણ છે કે કથી મુક્તિ મેળવવી ” એ કા` આપણા પેાતાનાથી જ થાય છે. નોંધ-સુખને બહાર ઢૂંઢનારાઓને આ સૂત્રમાં બહુ સુદર નિર્દેશ કર્યા છે. જીવન ગમે તેવું નિચ વિતાવનારા અને મેક્ષના ઇજારદારોને લાંચ આપી મેક્ષ કે સ્વર્ગની ચિઠ્ઠી મેળવી સતાષ માનનારાઓને આમાં સાચુ માદર્શન મળી રહે છે. મુક્તિ કે સ્વર્ગની ચિઠ્ઠી આપી દેવી એ બીન કાઈના સામર્થ્યની વાત નથી. આપ્ત પુરુષ હાય, સર્વજ્ઞ હોય અથવા ગત કે મુક્ત પુરુષ હાય, તે માત્ર એટલું જ કહી શકે કે આ મા` નિષ્ક ટક છે. એવે મને અનુભવ છે, એ માર્ગે જવામાં સુખ અને શાંતિ અમે વેદ્યા છે. પછી એ માર્ગે ચાલવું કે ન ચાલવું તે ક્રિયા તેા સાધકના પેાતાના જ હાથમાં છે. તેને ચાલવું હોય તેા બહાર એવી કાઈ શક્તિ નથી કે તેને અટકાવી શકે. માદકનું આથી વધુ મહત્ત્વ જીવનવિકાસમાં સમજવું એ ભૂલ છે. [૧૨] માટે સાધકે પરિગ્રહથી મુક્ત થઈ સાધનાના માર્ગમાં જે સંકટ આવી પડે તે સમભાવે સહન કરવાં. નોંધઃ—પરિગ્રહ અને પરિગ્રહવૃત્તિથી પર રહેવા છતાં કેટલાક સાધકા સટ ઉપસ્થિત થયે સત્યમાર્ગોમાં કાંટાળેા અનુભવે છે. સૂત્રકાર કહે છે કે સંકટને સંકટ માની દુઃખ અનુભવવું એ વૃત્તિનું અજ્ઞાન છે, માટે પ્રત્યેક પ્રસંગમાં આત્માભિમુખŁષ્ટિ—સમભાવ કેળવવા જોઈએ.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy