SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્ર નોંધઃ—આ સૂત્ર એમ કહે છે કે જેવું પેાતે ઇચ્છે છે, તેવું જ આપ્યુ જગત ઇચ્છી રહ્યું છે. એટલે સ્વ અને પરની એકવાકયતા સાધવા માટે ધર્મોની ઉત્પત્તિ થાય છે, અને તેથી પ્રત્યેક ધર્મો, પછી તે ગમે તે પ્રસસ્થાપકાએ નિર્દેશ્યા હેાય, પણ જે તે ધર્મી તરીકે ઓળખાતા હોય તે તેમાં અહિંસાનું સ્થાન હેાવું જ જોઈએ. વળી દરેક ધર્મોના અભ્યાસ અને અનુભવ પછી પણ અમે એમ કહીએ છીએ કે હિંસા એ ધર્મનું લક્ષણ નથી, પરંતુ ધ'ને નામે ઘુસાડી દીધેલે અન છે. આમ કહી વાસ્તવિક ધર્માં તે છે કે જ્યાં અહિંસાના સિદ્ધાંતને સંપૂર્ણ આદર છે એમ સચેટપણે ઠસાવે છે. અહીં એ પ્રશ્ન થઈ શકે છે કે તે અહિંસા એ જ ધર્મી હેય તે ધર્મ, પથ, મત, વગેરે આ બધા ભેદ શા માટે જોઈએ ? વિશ્વ પર એક જ ધમ પ્રવતે એટલે આ બધી મૂઝવણ ટળે. પણ આ વસ્તુ જેટલી સુંદર છે, તેટલી રાચ નથી. ભિન્નભિન્ન પ્રકૃતિનાં માસ માટે ભિન્નભિન્ન સાધને હાવાં અસ્વાભાવિક નથી. સત્ય એક જ છે, છતાંય તે દશે દિશામાં વ્યાપક છે. પથ, મત, સંપ્રદાય અને વાડાઓની અનેકતા એ એનાં જ વિવિધ સ્વરૂપે છે. એક કિરણ ખીન્ન કિરણ સાથે લડે તે કરતાં જેટલું ઐક્ય સાધે તેટલું જ તે વિસ્તરે અને અનંતતામાં મળે. આથી જે સાધકા ન્ત્યાતિ અને અનંતત્વના પૂન્તરી છે, તે ગમે તે વિભાગમાં રહી અને ગમે ત્યાંથી એ મેળવી આગળ *પે છે. પરંતુ જેઓ એક કિરણમાં જ અનંતતા કલ્પી લે છે, તે કદાગ્રહ અને સાંપ્રદાયિક્તામાં ચુસ્ત રહી પોતે ભૂલે છે અને ખીજાને પણ ભુલાવે છે. તે સ’કુચિતતામાં ન પુરાતાં શાણા સાધક પેાતાવત્ સર્વત્ર જીએ અને આગળ ધપે એ સમ્યક્ત્વને પણ સાર છે. આ સૂત્રમાં એક વિશેષતા એ ઝરે છે કે:-કાઈ ભિન્ન મતવાળાઓને તેમણે મિથ્યા માન્યા નથી કે પેાતાના દર્શનની લાલચમાં પ્રેર્યા નથી. માત્ર તેમની માન્યતામાં જે ભૂલ છે તે માનસશાસ્ત્રની દૃષ્ટિએ કસી બતાવી છે. અહીં જ જૈનદર્શનના સ્યાદ્વાદને પ્રત્યક્ષ અનુભવ થાય છે. જે દર્શન જેટલું વ્યાપક હોય તેટલું જ ઉદાર અને સ્વાભાવિક હાય. નૈસર્ગિĆક દર્શન જેણે પચાવ્યું હેાય તેવા મહાપુરુષાને પેાતાના અનુયાયીઓએ વધારવાની લાલસા ન હેાય; પણ તે તે। પાતે સત્યની જે અનુભૂતિ લીધી છે, તે અનુભૂતિ જગતને થાળે ધરે છે; જગત તેમાંથી લેવું હેાય તેટલું લે. આ એધપાઠ નૈસર્ગિક ધને માનનાર પ્રત્યેક સાધકે જીવનમાં વવાયેાગ્ય છે. ૧૨૬
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy