________________
૧૦૦ ૬, પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૫૦ પ્રાયશ્ચિત્ત દાતાનું સ્વરૂપે.
રાજગૃહી વિગેરે નગરની બાજુના ગુણશીલ ચૈત્ય વગેરે સ્થાનમાં અરિહંત ભગવંત અને ગણધર ભગવંતે વિગેરેએ ઘણી વખત પ્રાયશ્ચિત્તે આપેલા હોય, તે જે દેવતાએ જોયેલા હોય તે સ્થાને જઈને તે સમ્યમ્ દષ્ટિ દેવતાને અક્રમ વિગેરે તપથી આરાધીને, પ્રત્યક્ષ થાય ત્યારે, તેની પાસે આલોચના કરવી.
કદાચ તે દેવતા ચ્યવી ગયેલ હોય, અને તેને ઠેકાણે બીજા દેવ ઉત્પન્ન થયેલ હોય, તે તે, મહાવિદેહ ક્ષેત્ર વિગેરેમાં બિરાજમાન શ્રી અરિહંત ભગવાનને પૂછીને પ્રાયશ્ચિત્ત આપે. # ૮. તેને જેગ ન થાય, તે અરિહંત ભગવાનની પ્રતિમા આગળ આલેચના કરીને, પિતાની મેળે પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરે. # ૯તેને પણ વેગ ન હોય તે, પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાનની સમક્ષ પણ આલેચના કરવી. * આ હકિકતને મળતે પાઠ શ્રી વ્યવહાર સૂત્રમાં સ્પષ્ટ જ મળે છે. તે આ પ્રકારે છે–
"जत्थेव सम्म-भाविआई
चेइयाई पासेज्जा, कप्पड़
तस्सऽतिए
आलोइत्तए जाव-वडिवज्जित्तए वा ।"
“જ્યાં સમ્યગુ ભાવિત ચૈત્યો જોવામાં આવે, તેની આગળ આલોચના કરવાનું તેને કપે છે, અને પ્રાયશ્ચિત્તને પણ સ્વીકાર કરવા સુધીનું સર્વ કપે છે.”
જ્યાં સમગ્ર ભાવિત એટલે સમ્યગ દષ્ટિ આત્માઓએ ભાવિત એટલે આગમની બરાબર આજ્ઞા પ્રમાણે કરાવેલા અને પ્રતિષ્ઠા કરાવેલા વિધિપૂર્વકના ચિત્યે (પ્રતિમાજી) જોવામાં આવે, તેઓની આગળ આલેચના કરવી. પરંતુ સવ–પાસસ્થા વગેરેના અધિકારમાં હોય, એવા અવિધિ ચિની (પ્રતિમાજી) આગળ જઈ આલોચના ન કરવી. કેમ કે–તેમ કરવાથી આજ્ઞાનું ઉલ્લંઘન વિગેરે દેશે લાગે છે. કારણ કે –તેવા ચિત્ય (પ્રતિમાજી) અનાયતન રૂપ હોય છે.