________________
(૧૭૫ જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણાજળ ગૈલોક. જીવ્યું ધન્ય તેહનું. દાસી આશા પિશાચી થઇ રહી, કામ ક્રોધ તે કેદી લોક. જીવ્યું છે ખાતાં પીતાં બોલતાં નિત્ય, છે નિરંજન નિરાકાર. જીવ્યું છે જાણે સંત સલૂણા તેહને, જેને હોય છેલ્લો અવતાર. જીવ્યું છે. જગપાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર. જીવ્યું છે તેને ચૌદ લોકમાં વિચરતાં, અંતરાય કોઇયે નવ થાય. જીવ્યું છે
રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બહ્મઆનંદ હદે ન સમાય. જીવ્યું ૦ (૮૬) જે ચરમશરીરી, મોક્ષગામી જીવ હોય તેની દશા, મનહર નામના સંન્યાસીએ લખી છે. મનહરપદનો અર્થ ટૂંકામાં લખ્યો છે. જેને મરણનો ભય મટી ગયો, તેને યમ કે કાળ શું કરી શકે ? જગતમાંથી જેને કંઈ જોઈતું નથી, તેને ત્રણે લોક મૃગજળ જેવાં દેખાવ પૂરતાં જ છે. આખા જગતને ચૂસી ખાનારી રાક્ષસી જેવી આશા, તેને તૃતુલ્ય દાસી જેવી થઇ ગઇ છે. કામ-ક્રોધ જેને વશ થઈ ગયા છે, તેથી કેદમાં પુરાયા જેવા છે, તેને પજવતા નથી. નિરંજન, નિરાકાર, શુદ્ધ આત્મા ખાતાં, પીતાં, બોલતાં જેને ભૂલાતો નથી, પ્રગટ અનુભવમાં આવ્યા કરે છે એવા જ્ઞાની પુરુષનું ઓળખાણ પડવું પણ દુર્લભ છે; માત્ર ઉત્તમ સંતજનો, જે મોક્ષગામી હોય છે, તે તેમને ઓળખીને આરાધી શકે છે. તેવા પુરુષો જગતને પવિત્ર કરવા, ઉદ્ધાર કરવા અવતર્યા છે, તેમને જ ધન્યવાદ ઘટે છે. બીજા જીવોએ તો તેમની માતાને નવ માસ સુધી ભારે મારી છે એટલું જ, નથી તે તરતા કે કોઈને તારતા; એવા પુરુષને અંતરાય કરનાર કર્મ કોઈ રહ્યું નથી, ચૌદ રાજલોકને તે જ્ઞાન દ્વારા જાણી રહ્યા છે. અનંત રિદ્ધિ-સિદ્ધિઓ તેમને પ્રગટી છે પણ તે તેમને આનંદ આપતી નથી. માત્ર આત્માનો પરમાનંદ સ્વભાવ, તે જ તેમના દ્ધયમાં રમી રહ્યો છે; એટલું જ નહીં, પણ તે આનંદ, શબ્દો દ્વારા દયમાં ઊભરાઈને બહાર આવે છે, તે આ જગતના જીવોને કલ્યાણરૂપ, મોક્ષમાર્ગમાં સહાયક બને છે. ભલે વેદાંતપદ્ધતિએ તેમણે પરમપુરુષના ગુણ ગાયા છે, પણ તે આપ્તપુરુષના જ વખાણ છે, તેથી પરમકૃપાળુદેવે તેને ભક્તજનોને ઉપકારી જાણી, તે વિચારવા લખ્યું છે. જ્ઞાની પુરુષ અને જ્ઞાનીપુરુષને
ઓળખનાર સંતોની તેમાં સ્તુતિ છે. તે આપણા દ્ધયમાં વસે તો આપણો આત્મા ઉન્નત થાય, જગતનાં તુચ્છ સુખોથી ઉદાસ બને અને વૈરાગ્યસહ આત્માની વિભૂતિમાં લીન થાય, તેવું પદ છેજી. આપનાથી મુખપાઠ થાય તો કર્તવ્ય છે, વિચારવા યોગ્ય છે અને પરમકૃપાળુદેવની જ તે સ્તુતિ છે, એમ લક્ષ રાખવા યોગ્ય છેજી. આત્માનો લક્ષ ચુકાય નહીં, એ જ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૭૬૩, આંક ૯૬૪).
ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. (૫૪) મોહાધીન જીવ સંસારના પદાર્થોને પોતાની કલ્પનાથી સાચા માનીને, તેમાં એકાકાર થઈ જઈ, ફરી નવો સંસાર વધારે છે; પરંતુ જો અંતવૃત્તિ થઈ જાય તો સંસારનો ક્ષય થતાં વાર ન લાગે. સંસાર તો