SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ] અર્થા તરસ‘*મિતવાચનાં ઉદાહરણું [ ધ્વન્યાલાક પશુ તે પણ શક નથી, કારણ, મેધના મિત્ર મયૂરાની મીઠી કેકા ત્યાં પણ કાને પડવાની અને વર્ષાઋતુની જાણ કરવાની—જે અસહ્ય છે. આ બધા ઉદ્દીપન વિભાવેાથી રામનેા વિપ્રલંભ જાગ્યા છે, અને રતિભાવ તે ઉભયનિષ્ઠ હોય છે એટલે સીતાને સંભારીને જ રામ પેાતાને વિશે કહે છે કે મારા માટે આ ઉદ્દીપન વિભાવા ગમે તેટલા વધુ પ્રમાણમાં હાય તાયે હું તેા કઠોર હૃદયને રામ છું એટલે સહી લઉં છું. અહીં કઠોર હૃદયને એ વિશેષણ દ્વારા ઇષ્ટ ધ્વનિને માટે અવકાશ પેદા કર્યાં છે. જો એમ ન કર્યું હોત તે રામ' શબ્દ દ્વારા દશરથના કુલમાં જન્મ, કૌસલ્યાનેા સ્નેહ પામવે, સીતાની પ્રાપ્તિ થવી વગેરે ખીજા જ વ્યંગ્યાર્થી સમજાવાને સંભવ રહેત, જે અહી ઇષ્ટ નથી. અહીં છું એમ કહ્યું છે તેને અર્થ એવા છે કે હું તેા કઠોર હૃદયના હાઈ જીવુ છું' પણ સીતાનું શું થશે? તે જીવતી હશે? આમ સીતાનું સ્મરણ થતાં જ જાણે પ્રત્યક્ષ હાય એમ તેને ઉદ્દેશીને જ કહે છે કે ‘ હાય, દેવી, ધીરજ રાખજે. ' તું દેવીપદે અધિષ્ઠિત થયેલી છે એટલે તારે ધીરજ ૨.ખવી જ રહી. > . ' આ શ્લાકમાં રામ પેાતાને માટે ‘હું રામ છું' એમ કહે એનેા ક અર્થ નથી, એટલે અહી. મુખ્યા બાધિત થાય છે અને લક્ષણાથી કઠેરહૃદય ’ વિશેષણુને જોરે ‘ સહન કરવાની શક્તિ ધરાવતા રામ ' એવા લક્ષ્યા પ્રાપ્ત થાય છે અને એનું પ્રયાજન રાજ્યમાંથી દેશવટે વગેરે અનેક ધર્માં સાથે એનેા સબંધ જોડવાના છે. એટલે અહી' એવે અર્થ સમજાય છે કે હું તેા આખું જીવન દુઃખ જ વેઠતા આવ્યા છું: રાજ્ય ગયું, બધુઓનેા વિયેાગ થયા, પિતાનું અવસાન થયું, વનવાસ વેઠવા પડયો, આખરે પ્રાણપ્રિય પત્નીનું પણ હરણ થયું—આ બધું વેઠી વેઠીને હું તેા કઠાર હૃદયના થઈ ગયા છું એટલે આ ઉદ્દીપને ને સહી શકીશ, પણ પેલી જનકની લાડમાં ઊછરેલી દીકરીનું શું? તે શી રીતે સહન કરશે? આમ, અહી ‘રામ ’ શબ્દ સસહિષ્ણુવિશિષ્ટ રામ’ના અં વ્યક્ત કરે છે. માટે વૃત્તિમાં કહ્યુ` છે કે એને લીધે એટલે કે ખાષિત શબ્દ ઃ કેવળ ‘ રામ ’ નામની વ્યક્તિના આધ નથી · રામ'ને લીધે અહી થતા પણ વ્યંગ્ય ધર્મ વિશિષ્ટ (અનેક દુઃખ સહન કરનાર) વ્યક્તિ રામના આધ થાય છે. શ્લાક - અથવા મારા જ ‘વિષમમાણલીલા ’ કાવ્યમાંના નીચેના ―――――――
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy